સમગ્ર વિશ્વમાં એકબાજુ કોવિડનો હાહાકાર મચ્યો છે અને બીજી બાજુ મુંબઈથી ખરાબ સમાચાર આવ્યા છે.દેશની આર્થિક રાજધાની મુંબઈના કાંદીવલીમાં ચૉલ ધરાશાયી થવાની ઘટનાના અહેવાલ આવ્યા છે. મળેલી માહિતી મુજબ, ચૉલના કાટમાળ નીચે 5થી 6 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણ નથી કે આ દુર્ઘટના કઈ રીતે થઇ.
#MumbaiWallCollapse
G+1 house collapsed @ Sabria Masjid, Dalji Pada, Kandavali(West) arnd 06:00. All trapped persons rescued by MCGM, Mumbai fire Brigade,Police. @NDRFHQ team on site. As reported thankfully no deaths,few injured.@PIBHomeAffairs @BhallaAjay26 @ANI @ndmaindia pic.twitter.com/s76PpkzaHT— ѕαtчα prαdhαnसत्यनारायण प्रधान ସତ୍ଯ ପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) May 10, 2020
સવારે 5 AM ની આસપાસ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રેસ્ક્યૂ કરીને 14 લોકોને બચાવી લીધા છે. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ છે.
4-5 people possibly trapped after wall of a house collapsed in Kandivali (West) area of Mumbai. 3 people rescued till now, rescue operation underway: National Disaster Response Force (NDRF) #Maharashtra pic.twitter.com/K40NrGq8Nn
— ANI (@ANI) May 10, 2020
એનડીઆરએફની ટીમે ઉપરના માળે ફસાયેલા તમામ 12 લોકો તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં ફસાયેલા 2 લોકોને સુરક્ષિત બિલ્ડિંગની બહાર કાઢી લીધા હતા અને અત્યાર સુધી ઈજાગ્રસ્ત 2 લોકોને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. રેસ્ક્યૂ ટિમ માંથી 4 ફાયર એન્જિન, એમ્બ્યુલન્સની સાથે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે.