90ના દાયકામાં ટીવી ઉપર પ્રસારિત થતી રામાનંદ સાગરની રામાયણ આજે પણ દર્શકોના હૈયામાં વસેલી છે. લોકડાઉનમાં તેના રી ટેલિકાસ્ટે લોકોને જૂની યાદો તાજી કરી આપી. એક સમય હતો જ્યારે લોકો ટીવી પર રામાયણ જોવા માટે બેતાબ હતા. પ્રેક્ષકો તેમનું કોઈ પણ કામ છોડી શકતા હતા, પરંતુ રામાયણ જોવાનું ભૂલતા ન હતા. રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. આ ઉપરાંત દીપિકા ચિખલિયા સીતાના રોલમાં હતી. રામાયણે બંને સ્ટાર્સને ઘણી લોકપ્રિયતા આપી. હવે માહોલ એવો છે કે ઘણા વર્ષો પછી જ્યારે કોઈ મહિલાએ અરુણ ગોવિલને એરપોર્ટ પર જોયો તો તે ભાવુક થઈ ગઈ.
રામાયણમાં અરુણ ગોવિલે માત્ર ભગવાન રામનું પાત્ર જ ભજવ્યું ન હતું, પરંતુ તે જીવ્યા પણ હતા. શોમાં તેમને રામની ભૂમિકા નિભાવતા જોઈને લોકો તેમને હકીકતમાં ભગવાન સમજવા લાગ્યા. ઘણા વર્ષો પછી પણ દર્શકોનો અરુણ ગોવિલ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. આનો પુરાવો એક વાયરલ વીડિયો છે. રામાયણ ફેમ અરુણ ગોવિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અરુણ ગોવિલ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.
એરપોર્ટ પર અરુણ ગોવિલને જોઈને ત્યાં હાજર મહિલા ભાવુક થઈ ગઈ હતી. મહિલાને લાગ્યું કે ભગવાન રામ તેને દર્શન આપવા આવ્યા છે. તેથી જ તે અરુણ ગોવિલના પગે પડી ગઈ. અરુણ ગોવિલે પણ મહિલાનું સન્માન કર્યું અને તેને ઉપાડીને ગળે લગાડ્યા. આ દૃશ્ય ખરેખર અદ્ભુત હતું. કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગોવિલ રામલીલાના આયોજન માટે મહારાષ્ટ્રના સંભાજીનગર પહોંચ્યા હતા. જયારે તે એરપોર્ટ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ તેમના ચાહકોને તેમને મળવાનો મોકો મળ્યો.
आपकी छवि क्या है औरों के हृदय में उससे ही आपकी महानता है।रामायण टीवी धारावाहिक को 35 वर्ष हो गए पर राम का चरित्र निभाने वाले अरुण गोविल आज भी सबके लिए प्रभु श्रीराम ही हैं। भावुक कर देने वाला क्षण। @arungovil12 pic.twitter.com/4nM979xQl3
— Dr Sumita Misra IAS (@sumitamisra) September 30, 2022
અરુણ ગોવિલ માટે મહિલાનો પ્રેમ દરેકના હૃદયને સ્પર્શી રહ્યો છે. થોડા જ કલાકોમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ શેર કરવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ અરુણ ગોવિલને હકીકતના ભગવાન માન્યા હોય. અભિનેતાએ ઘણી વખત ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે રામાયણ કર્યા પછી તેને લોકો તરફથી આવો પ્રેમ મળતો રહે છે. રામાયણ પછી લોકો ભગવાન રામને તેમનામાં શોધે છે.