‘વિશ્વાસ નથી થઇ રહ્યો કે તુ અમને છોડીને જતો રહ્યો’ અક્ષય કુમારના નજીકના આ વ્યક્તિનું નિધન થતા જ ભાવુક થયો

બોલિવૂડના ખિલાડી કુમારનું દિલ તૂટી ગયું છે. બધાને હસાવનાર અક્ષય કુમાર દુઃખી છે. વાત એ છે કે અક્ષય કુમાર સાથે છેલ્લા 15 વર્ષથી કામ કરતા હેરડ્રેસરનું અવસાન થયું છે. અભિનેતાએ તેના હેરડ્રેસર મિલન જાધવના નામે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. અક્ષય કુમારે ઈન્સ્ટા પર હેરડ્રેસર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં મિલન અભિનેતાના વાળને સ્ટાઇલ કરતો જોવા મળે છે. પોસ્ટમાં અક્ષય કુમારે લખ્યું – તમે તમારી ફંકી હેરસ્ટાઇલ, સ્મિતના કારણે ભીડમાં અલગ દેખાતા હતા.

હંમેશા એ વાતનું ધ્યાન રાખતા કે મારો એક વાળ પણ બહાર ના રહે. મિલન જાધવ 15 વર્ષથી વધુ સમયથી મારા હેરડ્રેસર છે… હજુ પણ વિશ્વાસ નથી થતો કે તમે અમારી સાથે નથી. હું તમને ખૂબ યાદ કરીશ મિલાનો. ઓમ શાંતિ. આ પોસ્ટ સાથે ખિલાડી કુમારે પણ દિલ તોડવાવાળુ ઈમોજી બનાવ્યું હતું. અક્ષય કુમારની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે.જણાવી દઇએ કે, અક્ષય કુમાર સિવાય તે અન્ય ઘણી સેલિબ્રિટીઓના હેરસ્ટાઈલિસ્ટ પણ હતા.

કરીના કપૂર અને કિયારા અડવાણી સાથેની તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી છે. મિલાનો અક્ષય કુમાર સાથે 15 વર્ષથી કામ કરી રહ્યો હતો. અક્ષય કુમારની સાથે મિલાનોનું કામ અન્ય ઘણા સ્ટાર્સને પણ પસંદ આવ્યું હતું. મિલાનોના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અક્ષય કુમાર તેના જવાથી ખૂબ જ દુઃખી છે. એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષ અક્ષય કુમાર માટે સારું રહ્યું નથી.

તેની બેક ટુ બેક 3 ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ રહી છે. જેમાં બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને રક્ષાબંધનનો સમાવેશ થાય છે. ત્રણ ફ્લોપનો સામનો કર્યા બાદ અક્ષય કુમારની ચોથી ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. કટપૂતળીમાં અક્ષય કુમાર સાથે રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા જોવા મળ્યા હતા. લોકોને આ ક્રાઈમ ડ્રામા ખૂબ પસંદ આવ્યો. વિવેચકો અને લોકોએ ફિલ્મ અને અક્ષય કુમારના કામની પ્રશંસા કરી.

અક્ષય કુમારની બીજી ફિલ્મ 2022માં પાઈપલાઈનમાં છે. તેની રામ સેતુ આ વર્ષે રિલીઝ થનારી 5મી ફિલ્મ છે. આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરશે અને તેની ફ્લોપ ફિલ્મોના ટ્રેક પર બ્રેક લગાવશે. ચાહકોને આશા છે કે અક્ષય કુમારની હિટ ફિલ્મની શરૂઆત રામ સેતુથી થાય.

Shah Jina