અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: આઘાતમાં બોલિવુડ, સોનુ સૂદ-અલી ગોની થી અનુષ્કા-કંગના સુધી…બધાનું ફાટ્યુ કાળજું…
ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ દુઃખદ સમાચારથી બોલિવૂડ સેલેબ્સ પણ આઘાતમાં છે. શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, સલમાન ખાન, આમિર ખાન, કંગના રનૌત, અભિષેક બચ્ચન, કરીના કપૂર, અક્ષય કુમાર, સોનુ સૂદથી લઈને સની દેઓલ, અલી ગોની સુધી અનેકે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.
Absolutely heartbroken with the news about the crash in Ahmedabad… my prayers for the victims, their families and all affected.
— Shah Rukh Khan (@iamsrk) June 12, 2025
શાહરૂખ ખાને અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા X પર લખ્યું, ‘અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને હૃદય તૂટી ગયું… પીડિતો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધા માટે મારી પ્રાર્થના.’
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી લખ્યું, “એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો અને અવાચક. આવા સમયે ફક્ત પ્રાર્થનાઓ.”
જાહ્નવી કપૂરે પણ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી. તેણે કહ્યું, “એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો. આવી દુર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. મુસાફરો, ક્રૂ અને તેમના પ્રિયજનોની રાહ જોઈ રહેલા તમામ પરિવારો માટે પ્રાર્થના.”
અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘આજે વિમાન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. મુસાફરો અને તેમના પરિવારો માટે મારી સંવેદના અને પ્રાર્થના.’
આમિર ખાનની ટીમે X પર લખ્યું, ‘આજે થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મહાન નુકસાનની ઘડીમાં, અમારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. અમે આ વિનાશક ઘટનાથી પ્રભાવિત વ્યક્તિઓ, સમુદાયો અને પ્રતિભાવ આપનારાઓ સાથે એકતામાં ઉભા છીએ. ભારત મજબૂત રહે. ટીમ AKP.’
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ પછી તરત જ ક્રેશ થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના વચ્ચે, સલમાન ખાને એક કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું, ‘જેમ તમે બધા જાણો છો, દિવસના વહેલા એક દુ:ખદ ઘટના બની હતી. આ દરેક માટે દુઃખદ સમય છે. ISRL અને સલમાન ખાન આ મુશ્કેલ સમયમાં દેશ સાથે એકતાથી ઉભા છે.’
अहमदाबाद विमान हादसे का समाचार अत्यंत दुखद एवं पीड़ादायक है।
ईश्वर से सभी के सकुशल होने की कामना करती हूँ, ईश्वर इस संकट की घड़ी में सभी प्रभावित परिवारों को संबल प्रदान करें।
— Kangana Ranaut (@KanganaTeam) June 12, 2025
કંગના રનૌતે લખ્યું, ‘અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. હું ભગવાનને દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું. ભગવાન આ સંકટની ઘડીમાં બધા અસરગ્રસ્ત પરિવારોને શક્તિ આપે.’
Prayers.
— Abhishek (@juniorbachchan) June 12, 2025
અભિષેક બચ્ચને ટ્વિટમાં ફક્ત ‘પ્રાર્થના’ શબ્દ લખ્યો છે. સ્વાભાવિક રીતે, આ દુઃખદ સમાચારે તેમને પણ હચમચાવી નાખ્યા છે.
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર લખ્યું, ‘એર ઇન્ડિયાના ક્રેશના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે આઘાત પામી છું. વિમાનમાં સવાર દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું. મુસાફરો, ક્રૂ અને તેમના પરિવારો. આ દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી.’
Devastated by the news of the plane crash in Ahmedabad.
Praying with all my heart for survivors — may they be found and receive the care they need.
May those who lost their lives rest in peace, and may their families find strength in this unimaginable time.— Sunny Deol (@iamsunnydeol) June 12, 2025
સની દેઓલે લખ્યું, ‘અમદાવાદમાં વિમાન ક્રેશના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. હું બચી ગયેલા લોકો માટે હૃદયથી પ્રાર્થના કરું છું. તેઓ શોધી કાઢવામાં આવે અને તેમને જરૂરી સંભાળ મળે. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ અકલ્પનીય સમયમાં શક્તિ મળે.’
રણદીપ હુડા લખે છે, ‘અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન ક્રેશ વિશે સાંભળીને હૃદય તૂટી ગયું. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્તો સાથે છે. હું બચી ગયેલા લોકો માટે પ્રાર્થના કરું છું. ભગવાન મૃતકોને શાંતિ આપે અને તેમના પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે.’
પરિણીતી ચોપરાએ ટ્વિટર પર લખ્યું, ‘આજે એર ઇન્ડિયાના વિમાન ક્રેશમાં ભોગ બનેલા લોકોના પરિવારના સભ્યોના દુ:ખની કલ્પના પણ કરી શકતી નથી. આ દુઃખની ઘડીમાં ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.’
દિશા પટાણીએ લખ્યું, ‘અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મને આશા છે કે કેટલાક લોકો બચી જશે અને સમયસર મદદ મળશે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો માટે પ્રાર્થના. મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ દુર્ઘટનાનો સામનો કરવાની હિંમત મળે.’
રિતેશ દેશમુખે ટ્વિટર પર લખ્યું, ‘અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના દુ:ખદ સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. મારી સંવેદના બધા મુસાફરો, તેમના પરિવારો અને જમીન પર અસરગ્રસ્ત બધા લોકો સાથે છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં હું તેમના બધા માટે પ્રાર્થના કરું છું.’
સોનુ સૂદે લખ્યું, ‘લંડન માટે ઉડાન ભર્યા પછી અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન માટે પ્રાર્થના.’
અલી ગોનીએ લખ્યું, ‘એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર. મુસાફરો, ક્રૂ અને તેમના પરિવારો માટે પ્રાર્થના.’
અભિનેત્રી એમી જેક્સને લખ્યું, ‘એર ઇન્ડિયાના દુ:ખદ અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદના અને ઊંડાણપૂર્વકની પ્રાર્થના મુસાફરો, ક્રૂ અને અસરગ્રસ્ત તમામ પરિવારો સાથે છે. ભગવાન બચાવ ટીમને શક્તિ આપે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ સ્પષ્ટ થાય.’
એટલું જ નહીં, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, વિકી કૌશલ, શિલ્પા શેટ્ટી, સાન્યા મલ્હોત્રા જેવા બી-ટાઉનના ઘણા મોટા નામોએ આ ઘટના પર શોક વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી.
Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching
— Allu Arjun (@alluarjun) June 12, 2025