પતિના રહેતા કોઇ બીજા પુરુષ પર આવ્યુ આ હિરોઇનોનું દિલ, બધુ ભૂલી ચલાવી બેઠી અફેર

બોલિવુડ સ્ટાર્સની પર્સનલ લાઈફ અને ખાસ કરીને હિરોઈનોની લવ લાઈફ હેડલાઈન્સમાં રહે છે. કેટલીકવાર લગ્નેત્તર સંબંધો પણ હેડલાઇન્સમાં રહે છે. ઘણી વખત હિરોઈન લગ્ન પછી પણ પતિને બદલે કોઈ અન્ય વ્યક્તિ તરફ એટલી આકર્ષિત થઈ જાય છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચલાવી બેસે છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ હતો. આ યાદીમાં અભિનેત્રી મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલ સુધીના નામ સામેલ છે.

મલાઈકા અરોરા વિશે એવું કહેવાય છે કે તેના અને અરબાઝ ખાનના છૂટાછેડાનું કારણ બીજું કંઈ નહીં પણ અર્જુન કપૂર સાથે અભિનેત્રીની વધતી જતી નિકટતા હતી. હાલમાં આ અભિનેત્રી અરબાઝ ખાનથી અલગ થયા બાદ અર્જુન કપૂર સાથે તેની લાઈફ એન્જોય કરી રહી છે.

નિશા રાવલ વિશે કરણ મહેરાએ ખુલાસો કર્યો છે કે તેનું અફેર કોઈ અન્ય સાથે નહીં પરંતુ તેના કહેવાતા ભાઈ રિતેશ સેટિયા સાથે છે. અભિનેતાએ જણાવ્યું કે નિશા રાવલ અને રિતેશ હાલમાં તેમના પુત્ર સાથે તેમના ઘરે રહે છે.

અભિનેતા આમિર અલી સાથેના છૂટાછેડા પછી સંજીદા શેખ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો હતો. તેમના છૂટાછેડાનું કારણ અભિનેતા હર્ષવર્ધન રાણેને જણાવવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘તૈશ’ના શૂટિંગ દરમિયાન સંજીદા શેખ અને હર્ષવર્ધન રાણેની નિકટતા વધી હતી.

કામ્યા પંજાબી પર પણ તેના પૂર્વ પતિ બંટી નેગીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. બંટી નેગીએ અભિનેત્રી પર સંજય દત્તના પિતરાઈ ભાઈ અને અભિનેતા નિમાઈ બાલી સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અભિનેત્રીએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે અને નિમાઈ બાલી છૂટાછેડા પછી સંબંધમાં આવ્યા છે.

રોનક સાથે છૂટાછેડા પછી દીપિકા કક્કડ પર પણ આરોપ લાગ્યો હતો. વર્ષ 2011માં અભિનેત્રી શોએબ ઈબ્રાહિમને મળી હતી અને વર્ષ 2012માં તેણે પતિ રોનકથી છૂટાછેડા લઈ લીધા હતા. જે બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેે લગ્ન કરી લીધા. હાલમાં દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ખુશીથી જીવન વિતાવી રહ્યા છે.

Shah Jina