બોલીવુડની આ ખુબ સુરત અભિનેત્રીએ સાળંગપુરમાં હનુમાન દાદાના મંદિરમાં માથું ટેકવ્યું અને કહ્યું.. “ગુજરાતના લોકો…”

સાળંગપુરમાં દાદાના દર્શન કરવા માટે આવી પહોંચી બોલીવુડની આ અભિનેત્રી, સાડી પહેરીને ગુજરાતીમાં કહ્યું… જુઓ તસવીરો

છેલ્લા થોડા સમયની અંદર બોલીવુડના ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને ચાહકો પણ તેમને જોઈને ખુશ ખુશાલ બની ગયા છે, થોડા સમય પહેલા જ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ પાવાગઢમાં મા મહાકાળી માતાના દર્શને આવી પહોંચ હતી અને તેને જોવા માટે પણ તેના ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. માધુરી દીક્ષિત કોઈ શૂટિંગ માટે પાવાગઢ આવી હતી.

આ ઉરપટ પણ ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે, કોઈ ફરવા માટે આવે છે તો કોઈ શૂટિંગ માટે. થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ પણ સુરતમાં એક સાડીની બ્રાન્ડના શૂટિંગ માટે સુરત એરપોર્ટ ઉપર આવી હતી, ત્યારે હાલમાં બૉલીવુડ, કન્નડ અને ભોજપુરીની ખ્યાતનામ અભિનેત્રી અર્ચના ગુપ્તા પણ ગુજરાતની મુલાકાતે આવેલી જોવા મળી.

અર્ચના ગુપ્તા બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચી હતી. આ દરમિયાન અર્ચનાનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો. અર્ચનાએ દાદાના ચરણોમાં માથું ટેકવીને ધન્યતા પણ અનુભવી હતી. આ દરમિયાન અર્ચનાની ઘણી તસવીરો પણ સામે આવી હતી.

સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કર્યા બાદ અર્ચનાએ જણાવ્યું હતું કે, “ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન આપે છે, બહુ જ પ્રેમ આપે છે” આ ઉપરાંત તેને ગુજરાતીમાં જ “કેમ છો ?” કહીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. અર્ચનાને જોવા માટે પણ મોટી સંખ્યામાં ચાહકો સાળંગપુર મંદિરમાં આવી પહોંચ્યા હતા.

તો થોડા સમય પહેલા જ માધુરી દીક્ષિતે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. તેને પાવાગઢના ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા હતા, માધુરી ગુજરાત શૂટિંગ કરવા માટે પાવાગઢ પહોંચી હતી.

માધુરીએ પાવાગઢ જવાના રોપ વે તરફ શૂટિંગ કર્યું હતું, સાથે હસતા ચહેરે ચાહકોનું પણ અભિવાદન કર્યું હતું. માધુરી પાવાગઢમાં શૂટિંગ માટે આવી હોવાની જાણ થતા જ તેના ચાહકો પાવાગઢ તરફ ઉમટી પડ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પાવાગઢમાં માધુરી ત્રણ દિવસ સુધી રોકાઈ હતી. માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન ક્ષેત્રને ઉત્સાહિત કરવા માટે ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કર્યું હતું એવું જાણવા મળી રહયુ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ માધુરી દીક્ષિતને અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ જોવામાં આવી હતી, જ્યાંથી તેને ગુજરાતી થાળીનો આનંદ માણતો એક વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અભિનેતીની ફિલ્મના શૂટિંગ સમયે પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં રોજ આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી.

રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. પાવાગઢમાં 3 દિવસ સુધી માધુરી દીક્ષિત શૂટિંગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દિવાળી સિઝનથી જ યાત્રાધામ પાવાગઢમાં હજારો યાત્રાળુઓ ભારે ધસારો થઇ રહ્યો હતો અને આ દરમિયાન પાવાગઢ ખાતે માંચી અને રોપ વે ખાતે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’ના શૂટિંગ શરૂ થયું હતું. અભિનેત્રી રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું.

જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી અને જ્યાં સુધી શુટિગ ચાલ્યું ત્યા સુધી રોપ વે સેવા બંધ થઇ ગઇ હતી. જેથી પાવાગઢ સ્થિત માંચી ખાતે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યા હતા. જેને પગલે બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી આ બધા યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ધકધક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. આજે માધુરી ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. માધુરી તેના સમયથી સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાં સુમાર છે. જેના કારણે તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે.

Niraj Patel