ખેડૂતો જગતના તાતને લઈને આવ્યા ખરાબ સમાચાર: અચ્છે દિન ની જગ્યાએ બુરે દિન આવી ગયા
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂ.700 સુધી ભાવ વધ્યાં છે જ્યારે એએસપી ખાતરમાં રૂ.375નો ભાવ વધારો થયો છે. ઇફ્કોએ ડાઇ અમોનિયા ફોસ્ફેટ સહિત કોમ્પલેક્સ ફર્ટિલાઇઝરના ભાવમાં ઘણો વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ડીએપી ખાતરની બેગનો ભાવ ભાવ વધારા બાદ 1900 રૂપિયા, એનપીકે ખાતરની બેગનો ભાવ 1800, એનપીકે ખાતરની બેગનો ભાવ 1175 થયો છે. જ્યારે એએસપી ખાતરની બેગનો ભાવ 1350 રૂપિયા થયો છે. ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ આક્ષેપ પણ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.1 એપ્રિલથી ખાતરના ભાવવધારાનો અમલ કરાયો છે તેમ છતા ગુજરાતમાં ઇફકોએ તા.6 એપ્રિલે પત્ર જાહેર કર્યો છે. આમ, ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યુ છે.