અમદાવાદ: ચાર દીકરીઓએ મળી માતાની અર્થીને આપી કાંધ, અંતિમ ઇચ્છા સાંભળીને રડી પડશો….

અમદાવાદમાં ચાર દીકરીઓએ આપ્યો માતાની અર્થીને કાંધ, તસવીરો જોઇ ખરેખર આંસુ આવી જશે

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કેટલીકવાર દીકરીઓ તેમના પિતા કે માતાની અર્થીને કાંધ આપતી હોય છે. આ ખરેખર તે લોકો માટે ઘણી જ કઠિન ક્ષણ હોય છે. હાલમાં અમદાવાદમાંથી એક ઘટના સામે આવી. જેમાં ચાર દીકરીઓએ મળી માતાની અર્થીને કાંધ આવી અને અગ્નિદાહ પણ આપ્યો. સીટીએમ વિસ્તારમાં રહેતાં વૃદ્ધાનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થતા તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમની ચારેય દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદાહ આપ્યો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

માતાની અંતિમ ઈચ્છા ચારેય દીકરીઓએ વિધિવત્ રીતે પૂરી કરી હતી.મૂળ બોટાદના વતની અને અમદાવાદના સીટીએમમાં સદગુરુ બંગ્લોઝમાં રહેતા 78 વર્ષિય દાવડા કંચનબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમનું હૃદય રોગના હુમલાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. ત્યારે અલગ અલગ શહેરોમાં પરણાવેલી ચાર દીકરીઓએ અમદાવાદ આવી માતાના અંતિમ દર્શન કર્યાં અને માતાની ઈચ્છા મુજબ ચારેય દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદાહ આપ્યો હતો.

વૃદ્ધાની અંતિમ યાત્રા ખોખરા સ્મશાનગૃહ સુધી નીકળી હતી. જેમાં તેમની ચારેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી હતી. આ દ્રશ્ય જોઇ ત્યાં હાજર સૌ કોઇની આંખો ભરાઇ આવી હતી.કંચનબેને ચારેય દીકરીઓ હિના, સુધા, નીતા અને જલ્પાને પ્રેમથી ઉછેર્યા હતા. ત્યારે તેમણે પણ પોતાની માતાની અંતિમ ઈચ્છા મુજબની વિદાય તેમને આપી હતી. ઉલ્લેખનીય છે કે, દીકરીઓએ માતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોય તેવો આ તેમના સમાજનો પહેલો કિસ્સો છે.

દીકરીઓના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફેબ્રિકેશનનું નાનું-મોટું કામ કરતા અને તેમાંથી ખાસ કમાણી નહોતી થતી. તેમની માતાએ જ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો. તેમણે દીકરીઓના લગ્ન પણ કરાવ્યા. ત્યારે વર્ષ 2009માં પિતાનું અવસાન થયા બાદ માતાને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગી.

તેમની છેલ્લી ઈચ્છા હતી કે તેમની દીકરીઓ તેમની અર્થીને કાંધ આપી સ્મશાને જાય. એવામાં દીકરીઓએ તેમની છેલ્લી ઈચ્છાને માન આપ્યુ. મૃતક કંચનબેનની બે દીકરીઓ અમદાવાદમાં રહે છે જ્યારે બીજી બે દીકરીઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં રહે છે. દીકરીઓ હોવા છતાં પણ પુત્રની ઝંખના રાખતા માતાપિતા માટે આ કિસ્સો ઉત્તમ દ્રષ્ટાંત છે.

Shah Jina