કમરના દુખાવાને મટાડવો હોય તો આ યોગાસન છે તેનો અકસીર ઈલાજ, એકવાર જરૂર ટ્રાય કરો

આજે સૌ લાઈફ સ્ટાઇલના કારણે લગભગ દર બીજી વ્યક્તિ કમરદર્દની સમસ્યથી પરેશાન છે. આખો દિવસ બેસી રહેવાની આદતના કારણે કમરદર્દના દર્દી બની જાય છે. તો ઘણા સમય સુદી ઉભા રહેવાને કારણે પણ કમર દર્દ થઇ જાય છે. કમર દર્દને જો અવગણવામાં આવે તો તે ગંભર રૂપ લઇ શકે છે. કમર દર્દના કારણે આપણે ડોકટરો અને દવાઓની કરવા લાગીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે ?યોગ દ્વારા પણ કમર દર્દથી છુટકારો મેળવી શકાય છે.

આમ જોઈએ તો સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે. યોગ કરવાના અનેક ફાયદા છે. રોજ યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.

આજે અમે તમને એવા યોગ વિષે જણાવીશું કે, જે કરવાથી કમર દર્દથી રાહત થઇ શકે છે.

કંધરાસન

આ આસાન માટે સૌથી પહેલા એક ચાદર પર સીધા સુઈ જાઓ. ત્યારબાદ તમારા ઘૂંટણને થાપા પાસે લઇ જાઓ. હાથને કમરની પાસે રાખો. ત્યારબાદ આ અવસ્થામાં જ ત થોડી વાર શ્વાસને રોકી રાખો. ધીમે-ધીમે પહેલાની અવસ્થામાં રાખીને શ્વાસ છોડો. આ આસાન દરરોજ 4થી 5 વાર કરો.

ભુજંગ આસાન

આ આસાન માટે સૌથી પહેલા સીધા સુઈ જાઓ. પગને સીધા રાખો. હાથને પગની દિશામાં રાખો. હવે ત્યારબાદ હાથની મદદથી શરીરના આગળના હિસ્સાને ધક્કો મારો. ધ્યાન રાખો શરીરનો પાછળનો ભાગ જમીનને અડકેલો જ રહેવો જોઈએ. આ અવસ્થામાં 3થી 4 મિનિટ રહીને રાખો. પરંતુ આ આસાન કરતા ધ્યાન રહે માંસ પેશીઓમાં ખેંચાણ ના આવે. હવે ધીમે-ધીમે શ્વાસ છોડીને પહેલાની અવસ્થામાં આવો.

ચક્રાસન

આ આસાન કમરદર્દમાં ઘણું આરામદાયક છે. આ આસાન માટે પહેલા ચાદર પર સીધા સુઈ જાઓ. ત્યારબાદ તમારા હાથ અને પંજાના બળથી શરીરને ઊંચે ઉઠાવો. આ દરમિયાન કમરને જેટલો થઇ શકે તેટલું ઊંચો કરો. 1થી 2 મિનિટ આ અવસ્થામાં રાખીને ધીમે-ધીમે નોર્મલ અવસ્થામાં લઇ જાઓ. આ આસાનથી કમરની માંસપેસીઓનલચીલી થઇ જાય છે.

ઉત્તાનાસન

ઉત્તાનાસન હેમસ્ટ્રિંગ, સાથળ અને હિપ્સમાં ખેંચાણ ઊભું કરતા કમરના દુખાવામાં આરામ આપે છે. આ આસનથી ખેંચાણ પીઠ તરફ ફેલાઈ છે અને કરોડરજ્જુને લાંબું કરે છે. આ આસન કરવાથી જાંઘ અને ઘૂંટણ મજબૂત થવાની સાથે-સાથે થાક અને ચિંતામાં પણ ઘટાડો થાય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

YC