રામલલા પ્રત્યેની ભક્તિ તો જુઓ ! સોનાની ઈંટ ચઢાવવા મંદિરમાં આવેલી મહિલા એટલી ભાવ વિભોર બની ગઈ કે દાન કરી દીધા બધા જ ઘરેણાં, વીડિયો વાયરલ

અયોધ્યા રામલલાને સોનાની ઈંટ ચઢાવવા આવી હતી મહિલા, પણ આવીને એવી ભાવુક થઇ ગઈ કે 2 કિલો સોનાનું કર્યું દાન, જુઓ

Woman donated 2 kg of gold to Ramlala : રામ નવમીના અવસર પર દેશભરમાં ભગવાન રામની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવી હતી. અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. આ દિવસે ભગવાન રામનું ‘સૂર્ય તિલક’ પણ કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીથી અયોધ્યા આવેલી એક મહિલા રામ મંદિર માટે સોનાની ઈંટ લઈને પહોંચી હતી. પરંતુ ત્યાં આવીને તેણે લગભગ બે કિલો સોનું દાનમાં આપ્યું હતું.

વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રામલલાને જોઈને મહિલા ભાવુક થઈ ગઈ હતી. આ પછી, તેણીએ જે પણ ઘરેણાં પહેર્યા હતા, તે રામલલાને અર્પણ કરી દીધા. લોકો મહિલાની ભક્તિની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેરા તુજકો અર્પણ, ક્યા લગે મેરા.’ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રામ વનામી દિવસની ઘટના છે.

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામ મંદિરને માત્ર એક મહિનામાં 25 કિલો સોના અને ચાંદીના આભૂષણો સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે 25 કરોડ રૂપિયાની રકમમાં મંદિર ટ્રસ્ટ ઓફિસમાં જમા કરાયેલા ચેક, ડ્રાફ્ટ અને રોકડ તેમજ દાન પેટીઓમાં જમા કરવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે. જો કે, બેંક ખાતામાં ઓનલાઈન મોડ દ્વારા મોકલવામાં આવેલા દાનની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ભારત સરકારે રામ લલ્લાને ભેટ તરીકે મળેલા સોના-ચાંદીના ઝવેરાત અને કિંમતી સામગ્રીઓનું મૂલ્યાંકન કરવા માટે તેને ઓગાળવાની અને જાળવવાની જવાબદારી સોંપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટ્રસ્ટ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે મુજબ દાન, ચેક, ડ્રાફ્ટ અને રોકડ એકત્રિત કરવાની અને તેને બેંકમાં જમા કરવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ બેંક લેશે.

 

View this post on Instagram

 

A post shared by Aabhas Agarwal BJP (@aabhasbjp)

Niraj Patel