આખરે શા કારણે ફ્રેન્ચાઇઝીએ ઇન્સ્ટાગ્રામ ઉપરથી સર રવિન્દ્ર જાડેજાને કર્યો અનફોલો ? શું તૂટી ગઈ હવે જડ્ડુ અને ધોનીની મિત્રતા ?

બુધવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સે સત્તાવાર રીતે રવિન્દ્ર જાડેજાની IPL 2022માંથી બહાર નીકળવાની જાહેરાત કરી, જેના બાદ CSK અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર ફરતા થયા હતા. જો કે, એક સત્તાવાર નિવેદનમાં ફ્રેન્ચાઇઝીએ જાડેજાની પાંસળીની ઇજાને ટુર્નામેન્ટમાંથી બહાર રહેવાનું કારણ ગણાવ્યું છે.

આ દરમિયાન કેટલાક અહેવાલો સામે આવ્યા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલ પર સૌરાષ્ટ્રના ક્રિકેટરને અનફોલો કરવામાં આવ્યો છે, જેણે બંને પક્ષો વચ્ચે સંભવિત અણબનાવની અફવાઓને વધુ વેગ આપ્યો હતો.

CSKએ બુધવારે તેમના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રિવર્સ ફિક્સેશન દરમિયાન ઈજા થઈ હતી અને તેથી તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજા થઈ છે.

રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઉપલબ્ધ નહોતો. તે ડોકટરોની દેખરેખ હેઠળ હતો અને તબીબી સલાહના આધારે તેને આઈપીએલની બાકીની સીઝન માટે બહાર કરી દેવામાં આવ્યો છે. દરમિયાન, કેટલાક અહેવાલો એ પણ જણાવે છે કે જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પણ ફ્રેન્ચાઇઝીને અનફોલો કરી દીધી છે.

જાડેજા છેલ્લા 10 વર્ષથી ફ્રેન્ચાઇઝીના મહત્વના સભ્ય છે અને IPL 2022 માટે ટીમના સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ તેને રૂ. 16 કરોડની ભારે રકમમાં જાળવી રાખ્યો હતો. આઈપીએલ 2022ની શરૂઆત પહેલા જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સીઝન દરમિયાન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને સીઝનની મધ્યમાં ધોનીએ CSKની કમાન સંભાળી હતી. કેપ્ટનશિપના દબાણમાં જાડેજા પણ બેટ અને બોલથી ફ્લોપ રહ્યો હતો.

Niraj Patel