સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો ફૂટ્યો ભાંડો ! ફરિયાદી નીકળ્યો માસ્ટરમાઇન્ડ…વીમો પકાવવા માટે કર્યુ આવું

સુરતના હીરા ઉદ્યોગમાં હચમચાવટ મચાવનાર ₹32 કરોડની હીરા ચોરીનો રહસ્ય ઉજાગર થયો છે. આ આઘાતજનક કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ ચોરી એક યોજનાબદ્ધ નાટક હતું અને વાસ્તવમાં કોઈ હીરાની ચોરી થઈ જ નહોતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ચોરીનો મુખ્ય આયોજક કોઈ બહારનો વ્યક્તિ નહીં, પરંતુ ખુદ ફરિયાદી અને કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ બહાર આવ્યો છે. તેણે ₹20 કરોડનો વીમા મેળવવા માટે આ કપટ રચ્યું હતું.સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત D.K. & Sons ડાયમંડ કંપનીમાં ₹32.48 કરોડની હીરા ચોરીનો કેસ એક વિશાળ યુ-ટર્ન આવ્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીનો ડ્રામા કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ પોતાના મોટા દેવા અને ₹20 કરોડનો વીમા મેળવવા માટે ઘડ્યું હતું. તેણે પોતાના પુત્ર અને અન્ય 5 વ્યક્તિઓ સાથે મળીને આ ચોરીનું નાટક કર્યું હતું, જેના બદલે તેમની સાથે ₹10 લાખનો કરાર કર્યો હતો. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉઘાડો કર્યો છે.

17 ઓગસ્ટની રાત્રે, D.K. & Sons ડાયમંડ કંપનીમાં ચોરીની ઘટના બની હોવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો. કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ ₹32 કરોડના હીરા અને ₹5 લાખ નાણાંની ચોરી થઈ હોવાની રિપોર્ટ નોંધાવી હતી. આ ઘટનામાં 5 ચોર બે રિક્ષામાં આવ્યા હતા અને ગેસ કટરથી તિજોરી કાપીને ચોરીને અંજામ આપ્યો હોવાનું બતાવવામાં આવ્યું હતું.

જો કે, પોલીસને શરૂઆતથી જ આ ઘટના શંકાજનક લાગી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ સમગ્ર કાવતરું ખુદ માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીનું હતું. તેણે પોતાના વધેલા દેવાના કારણે આ કપટ ઘડ્યું હતું. સૌથી આઘાતજનક વાત એ છે કે, તેણે આ નાટક કરવા માટે 10 દિવસ પહેલા જ ₹20 કરોડનો વીમો કાઢ્યો હતો. પોલીસ સ્રોતો મુજબ, આ નાટક સાકાર કરવા માટે દેવેન્દ્રએ પોતાના પુત્ર પિયુષને જ ગેસ કટરથી તિજોરી કાપવા મોકલ્યો હતો. તિજોરીમાં કોઈ હીરા મૂકવામાં આવ્યા નહોતા, પરંતુ માત્ર ચોરીનું નાટક કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગુનાહિત કપટમાં અન્ય 5 લોકોને પણ સમાવેશ કરવામાં આવ્યા હતા, જેમને ₹10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી ₹5 લાખ એડવાન્સમાં ચૂકવી દેવાયા હતા અને બાકીના ₹5 લાખ બાકી હતા.300 કરોડ ટર્ન ઓવર ધરાવતી કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી હાલ ચાલી રહેલા હીરા ઉદ્યોગના મંદીના કારણે ધીરે ધીરે દેવામાં ડૂબી રહ્યા હતા. થોડા સમયમાં જ 25 કરોડથી વધુનું દેવું થઈ ગયું હતું. જેને પગલે આ દેવામાંથી છૂટકારો મેળવવા વીમા મેળવવાનું કારસ્તાન સૂઝ્યું હતું. જેથી તેણે લીધેલો વીમા 10 દિવસ પહેલા રિન્યૂ કરાવ્યો હતો. આ વીમાની રકમ 20 કરોડ જેટલી આવે તેવી સંભાવના હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!