ભેંસાણમાં દાદાગીરી પર ઉતરી આવેલી કિર્તી પટેલને જામીન મળ્યા કે નહિ? થયો મોટો ખુલાસો

સોશિયલ મીડિયાની એપ ટિક્ટોકથી ખુબ જ ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલ હવે ફરી એક વાર વિવાદમાં આવી છે. આજે સવારે જૂનાગઢના ભેસાણના યુવકને મારવાની ધમકી આપી હતી. તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેની સાથે ધરાર લગ્ન કરવાની પણ ધમકી આપી હતી.

આ નવી મેટરમાં કીર્તિ પટેલ અને તેના 10 મિત્રોની ભેસાણ પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન બપોરના ટાઈમે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેમના સાથીદાર ભેસાણ આવી પહોંચ્યા હતા. ત્યારે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદાર કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપે તે પહેલાં ત્યાંની પોલીસે આ બધાની અટકાયત કરી હતી.

ભેસાણ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ જૂનાગઢ LCB ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. કીર્તિ પટેલ અને તેના મિત્રો અજય મંગળુભાઇ જેબલીયા, ભરત ધીરજભાઇ મજેઠીયા, જતીન વલ્લભભાઇ લાઠીયા, જીતેન્દ્રસીંહ સેંધાજી રાઠોડ, સુરેન્દ્રસીંહ જખુભા સીસોદિયા, અવનીક ભરતભાઇ વઘાસીયા, જયદિપ કાનજીભાઇ લાઠીયા, વૈશાખ અરવીંદભાઇ રફાળીયા, યશ વિપુલભાઇ મુંજપરાને ત્યાં પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

જો કે, અટકાયત બાદ કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિવાદિત ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગયા મે મહિનામાં અટકાયત કરી હતી. થોડા સમય પહેલા પણ અમદાવાદના SG હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે ખરાબ લખાણ અને

ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ મેટરમાં કીર્તિ પટેલ અને ભરત સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા ઘણાં ટાઇમથી ટિક્ટોક સ્ટાર ઈન્સ્ટાગ્રામ પર બેફામ વાણી વિલાસ કરતાં વીડિયો મુક્યા હતા.

પછી તેણે પોતાના 10 જેટલા સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવી પહોંચી હતી. ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કીર્તિ પટેલે જમનભાઈ ભાયાણી વિરૂધ્ધ મારી નાંખવાની ધમકી આપી હતી.

ટિક્ટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ એક ટાઈમે ફેશન ડીઝાઇનર હતી પછી તેણીએ કોમેડી વિડીયો બનવાનું શરુ કર્યું અને અને યુટ્યુબ તથા ટીકટોકમાં ઝંપલાવ્યું. પછી તેણીએ ત્યાંથી સારી એવી લોકપ્રિયતા મળી હતી.કીર્તિની લોકપ્રિયતા સાતમાં આસમાને પહોચ્યા તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. કીર્તિ પટેલ ખુબ જ ટીકટોકમાં વાયરલ થયા પછી એક ઇન્સ્ટાગ્રામમાં એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુનસર બની ગઈ.

શરૂઆતમાં તો તેણી માત્ર કોમેડી વિડીયો બનાવતી પણ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. “એની માને” ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. આની પહેલા પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વિડીયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આજે કીર્તિ પટેલના ટીકટોક પર એક મિલિયનથી વધારે ફોલોઅર્સ છે અને ચાહક વર્ગ પણ ખુબ મોટો છે.

YC