RRRના ધુંઆધાર બોક્સ ઓફિસ કલેક્શનથી એટલા ખુશખુશાલ થઇ ગયા રામ ચરણ કે પૂરી ટીમમાં વહેંચ્યા સોનાના સિક્કા

ડાયરેક્ટર એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મે એક નવી સક્સેસ સ્ટોરી લખી છે. બોક્સ ઓફિસ પરથી દરરોજ આ ફિલ્મ સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. માત્ર 9 દિવસમાં આ ફિલ્મે તમામ ભાષાઓમાં 900 કરોડની નજીક કમાણી કરી લીધી છે. એટલે કે દરરોજ આ ફિલ્મ લગભગ 100 કરોડની કમાણી કરી રહી છે. પરંતુ આ બધા સમાચારો વચ્ચે અમે તમને જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ‘RRR’ના સુપરસ્ટાર રામ ચરણના વખાણ કરવાનું બંધ નહીં કરો. જ્યારે ફિલ્મો રિલીઝ થયા પછી હિટ થાય છે ત્યારે ઘણીવાર હીરો-હીરોઈન કે દિગ્દર્શકના માથે વિજય માટે ગાંઠ બાંધવામાં આવે છે.

પણ એ તો બધા જાણે છે કે એક સફળ ફિલ્મ બનાવવા માટે પડદા પાછળ કામ કરતા સેંકડો લોકોની જરૂર પડે છે. મીડિયા રીપોર્ટ અનુસાર અભિનેતા રામ ચરણે પોતાની ફિલ્મના તમામ ક્રૂ મેંબર્સને 10 ગ્રામ સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે. ફિલ્મના સારા પ્રદર્શનને જોયા બાદ એક્ટર રામ ચરણે આ ફિલ્મના ક્રૂ મેમ્બર અને આસિસ્ટન્ટને ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. બ્રેકફાસ્ટ પાર્ટીમાં કેમેરા આસિસ્ટન્ટ્સ, પ્રોડક્શન મેનેજર, એકાઉન્ટન્ટ્સ, ફોટોગ્રાફરો અને અન્ય ઘણા ક્રૂ મેમ્બર જેવા ફિલ્મ નિર્માણ વિભાગોએ હાજરી આપી હતી.

તે બધા અહીં બ્રેકફાસ્ટ પાર્ટી માટે ગયા હતા અને તેનાથી ખુશ હતા. પરંતુ નાસ્તો કર્યા પછી રામ ચરણ તરફથી ભેટ તરીકે એક કિલો મીઠાઈનો ડબ્બો અને સોનાનો સિક્કો મળતાં બધાં દંગ રહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કાની એક તરફ ‘RRR’ લખેલું છે અને બીજી બાજુ રામચરણનું નામ લખેલું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની જાહેરાત માર્ચ 2018માં કરવામાં આવી હતી અને તેની સત્તાવાર તૈયારીઓ નવેમ્બર 2018થી શરૂ થઈ ગઈ હતી.

ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ અલગ-અલગ લોકેશન પર થયું હતું અને ઘણા ક્રૂ મેમ્બર્સ આ ફિલ્મ પર સતત કામ કરી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રવિવારના રોજ રામ ચરણ મુંબઈના ખાનગી એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળ્યા હતા. બધા તેને જોઈને દંગ રહી ગયા કે તે એરપોર્ટ પર ઉઘાડા પગે કેમ છે. હકીકતમાં, રામ ચરણે 41 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કર્યો છે. આ દક્ષિણ ભારતની પરંપરા છે, જેને અયપ્પા દીક્ષા કહેવાય છે, જે 41 દિવસ સુધી ચાલે છે.

આમાં તમે બધું ભગવાનને અર્પણ કરો, ન તો ચપ્પલ પહેરો, ન તો માંસાહારી ખાઓ અને જમીન પર સૂઈ જાઓ. રામ ચરણ બરાબર એવું જ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મમાં રામ ચરણના પિતાની ભૂમિકા ભજવનાર બોલિવુડ અભિનેતા અજય દેવગણે પણ 41 દિવસની અયપ્પા દીક્ષા લીધી છે.

Shah Jina