ગાય અચાનક જ નીતિન પટેલ માથે કૂદી; આ રીતે ગાયે અડફેટે લીધા, વીડિયો આવી ગયો સામે….જુઓ

ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અંતર્ગત મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે હાલમાં જ આ અભિયાન અંતર્ગત કડીમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ જોડાયા હતા. જો કે આ દરમિયાન નીતિન પટેલને એક રખડતી ગાયે અડફેટે લીધા હતા. નીતિન પટેલને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી. નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યુ છે. તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કડીમાં રખડતી ગાયે એક વિદ્યાર્થીને અડફેટે લીધી હતી અને તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

રાજયમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના આતંકના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. અત્યાર સુધીમાં ઘણા લોકો રખડતા ઢોરોના હુમલામાં ઘાયલ થયા છે, અને ઘણાના મોત પણ થયા છે. કડીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી.

આ યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ અને આગેવાનો દ્વારા તિરંગા યાત્રાને ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા કડીના ભાઉપુરા, ગાંધી ચોક, ટાવર, મંત્રી રોડ,શાકમાર્કેટ, કોઠારીવાસ,થઈને કરણપુર વડ પાસે પહોંચતાં અચાનક જ ગાયોનું ટોળું તિરંગા યાત્રામાં સામેની સાઈડેથી દોડી આવ્યું અને આ દરમિયાન નીતિન પટેલને અડફેટે લીધા.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના કડીમાં ભાજપ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને તેને કારણે તેમને ઇજા પહોંચી હતી. તેમને ઢીંચણમાં ક્રેક હોવાનું સામે આવ્યુ છે અને તેમને 20 દિવસ આરામ કરવાનું પણ કહેવામાં આવ્યુ છે. નીતિન પટેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં જોડાયા હતા. રેલી શહેરના 70 ટકા વિસ્તારમાં ફરી હતી.

અચાનક જ રેલીમાં દોડતી આવેલી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા અને તેને કારણે તેઓ પડી ગયા હતા.આ બાબતે તેમણે જણાવ્યુ હતુ કે, તેમના સિવાય પણ ચાર પાંચ લોકો પડ્યા હતા. આજુબાજુના કાર્યકરો અને પોલીસે તેમને ઘેરી ગાયને દૂર કરી હતી. તેમને પગે ઉભા રહેતું ન હોવાથી સમસ્યા લાગી અને તેને કારણે એક્સ રે કરાવવામાં આવ્યો અને તેમા ઢીંચણમાં ક્રેક દેખાતા સીટી સ્કેન કરાવતા 20 દિવસનો આરામ કરવા કહેવાયું.

નીતિન પટેલે રખડતા ઢોર અંગે કહ્યું કે, હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે, આ સ્વાભાવિક ઘટના છે. તેમણે આગળ કહ્યુ કે, લાખો પશુઘનમાંથી કઈ ગાય ક્યાં જતી રહે એ નક્કી ના કહી શકાય. શહેર, ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ના હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું એ વ્યવહારિક રીતે શક્ય નથી.

જણાવી દઇએ કે, સરકાર દ્વારા રખડતા ઢોર મામલે મહત્વનું બિલ લાવવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યના પશુપાલકોએ આંદોલન છેડતા સરકારે આ બીલને સ્થગિત કરી દીધુ હતું.જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી રાજયમાં રખડતા ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છત્તાં તેનું નિરાકરણ આવ્યુ નથી. રખડતા ઢોરના આતંકને કારણે ઘણા અકસ્માતોના બનાવો પણ વધે છે,

ઘણા લોકો ઇજાગ્રસ્ત થાય છે, તો ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આઝાદી કા મહોત્સ્વની વાત કરીએ તો, દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગા રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. લગભગ બધા જ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.

આ ઘટનામાં દોડાદોડી મચી જવા પામી હતી. નીતિન પટેલને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. નીતિનભાઈ પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. ડોક્ટર દ્વારા થોડા કલાક બાદ આરામ કરવાનું કહી પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રજા આપવામાં આવી હતી.

Shah Jina