રાજકોટમાં 20 વર્ષના જુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત, સવારે માતા જગાડવા ગયા’તા તો પુત્ર લટકતો’તો

20 વર્ષના વિરાજ ચાવડાએ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાણી, સવારે માતા જગાડવા ગયા’તા તો પુત્ર લટકતો’તો

ગુજરાતમાંથઈ ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી આર્થિક તંગી સહિત કેટલાક બીજા કારણો હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક આપઘાતનો મામલો સામે આવ્યો. આહિર ચોક ગોપાલ પાર્કની સામે રહેતા 20 વર્ષિય વિરાજ ઉર્ફે વિરૂબન્ના ચાવડાએ પોતાના ઘરે પંખાના હુકમાં દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે પરિવાર સાથે સાથે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વિરાજ ઉર્ફે વિરૂ સવારે આઠ વાગ્યા સુધી ઉઠીને નીચે ન આવતા તેની માતા તેને ઉઠાડવા માટે ગયા અને ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા પરિવારે દરવાજો તોડ્યો તો પુત્ર લટકતો જોવા મળ્યો. આ જોઇ તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે બાદ તાત્કાલિક પરિવારે 108 મારફતે પુત્રને સારવારમ હેઠળ સિવિલ ખસેડયો પણ અફસોસ તેને મૃત જાહેર કરાયો. આ ઘટના અંગે સિવિલ ચોકના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી અને જાણ થતા જ પોલિસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત આપઘાતનું કારણ જાણવા પુછપરછ હાથ ધરી હતી. એવું સામે આવ્યુ છે કે, મૃતક છુટક ડ્રાઇવીંગ કરતો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટમાંથી એક આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમાં કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં એક દીકરાએ વીડિયો બનાવી તેની બીમાર માતાને ઝેર આપી પોતે પણ ગટગટાવી લીધુ હતુ, આ ઘટનાને કારણે બંનેનાં મોત નીપજ્યાં છે.

Shah Jina