આ ફેમસ મંદિરના મેળામાં થઇ નાસભાગ અને 3 મહિલાના થયા દર્દનાક મૃત્યુ, મંદિરમાં અફરાતફરી અને ભયનો માહોલ

CM એ જતાવ્યું દુઃખ…આ ફેમસ મંદિરના મેળામાં થઇ નાસભાગ અને 3 મહિલાના થયા દર્દનાક મૃત્યુ અને અનેક ભક્તો….

રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીમાં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ ઘણી વધી ગઇ અને બેકાબૂ બનેલી ભીડમાં લોકો ધક્કા ખાવા લાગ્યા. આ અરાજકતામાં ત્રણ મહિલા ભક્તોના મોત થયા હતા જ્યારે ઘણા ભક્તો ઘાયલ થયા હતા. હાલ એક મહિલાની ઓળખ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડના વધતા દબાણને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક મહિલા અને પુરૂષ નીચે પડી ગયા હતા અને તેમને ઉઠવાની તક મળી ન હતી. ભીડને ઉતાવળે કાબૂમાં લેવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફે મોરચો સંભાળ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં રેફર કર્યા હતા, જ્યાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતક મહિલામાંથી એકની ઓળખ થઈ ગઈ છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. નોંધનીય છે કે કોરોના કાળ બાદ હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે.

પરંતુ મંદિરનો વિસ્તાર ઓછો હોવાને કારણે અને પર્યાપ્ત દર્શનની સુવિધાના અભાવે અહીં છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે. રાજસ્થાનના કોટાના બીજેપી સાંસદ અને લોકસભાના સ્પીકર આમ બિરલાએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, “રાજસ્થાનના ખાટુશ્યામ જી મંદિરમાં નાસભાગને કારણે ભક્તોના મોત હૃદયને હચમચાવી નાખે તેવા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. પીડિત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ‘સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલાઓના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે,

ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે. નાસભાગમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા. જણાવી દઇએ કે, આ મંદિર રાજસ્થાનના શેખાવતીના સીકર જિલ્લામાં આવેલું છે. દર વર્ષે વિશ્વના ખૂણે-ખૂણેથી કરોડો ભક્તો અહીં પહોંચે છે અને શ્યામ બાબાના દર્શન કરે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, તેનો શિલાન્યાસ વર્ષ 1720માં કરવામાં આવ્યો હતો. મંદિરના આ પરિસરમાં દર વર્ષે બાબા ખાટુ શ્યામનો પ્રખ્યાત મેળો ભરાય છે.

Shah Jina