BREAKING : “તારક મહેતા” શોના આ બે દિગ્ગજ કલાકારની તબિયત લથડી, ફેન્સ ચિંતામાં મુકાયા

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.આ શો લાંબા સમયથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. શોના બધા પાત્રોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે છે.

હાલમાં જ તારક મહેતાના સેટ પરથી એક ખબર સામે આવી છે. ખબર છે કે શોના 2 સ્ટાર્સની તબિયત ઠીક નથી જેને કારણે શુટિંગમાં ઘણી પરેશાની થઇ. આ બે સ્ટાર્સ માસ્ટર ભિડે એટલે કે મંદાર ચંદવાડકર અને ટપ્પુ એટલે કે રાજ ઉનાદકટ છે. મંદારની તબિયત ઠીક નથી તેમને ઘણો કોલ્ડ થઇ ગયો છે અને મહામારીને કારણે તેમણે પોતે સેટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. એવામાં ટીમને પેકઅપ કરવું પડ્યુ હતુ.

ઇટામ્સના હવાલે એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, રાજ છેલ્લા કેટલાક દિવસોથી શુટિંગ પર તે સમયે આવે છે જયારે તેમનો સીન હોય છે અને પછી તેઓ જતા રહે છે. પરંતુ હાલની ખબર અનુસાર રાજ છેલ્લા બે દિવસથી સેટ પર આવી રહ્યા નથી. આ વિશે ઇટાઇમ્સને જાણકારી આપતા કહ્યુ કે, કોઇ જાણતુ નથી કે તેમના સ્વાસ્થ્યમાં શુ ખરાબી છે, કદાચ તેમને વાયરલ છે. મંદારને સોમવારે બપોરે સેટ પર જવુ પડ્યુ અને શુટિગ સામાન્ય સ્થિતિમાં પાછુ આવી ગયુ છે. તેમણે કથિત રીતે જણાવ્યુ કે, તે અસ્વસ્થ હતા.

Shah Jina