પોતાના પતિના ચરણ સ્પર્શ કરીને પૂજા કરનારી અભિનેત્રીને લોકો કરવા લાગ્યા ટ્રોલ, પછી આપ્યો એવો જડબાતોડ જવાબ કે… જુઓ

બોલિવુડની અભિનેત્રીઓની જેમ સાઉથની અભિનેત્રીઓનો પણ એક મોટો ચાહક વર્ગ છે અને તેમાં પણ છેલ્લા થોડા જ સમયમાં સાઉથની અભિનેત્રીઓએ પોતાના અભિનય અને ટેલેન્ટના દમ ઉપર દુનિયાભરમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. એવી જ એક અભિનેત્રી પ્રણિતા સુભાસ. તેનો પણ ખુબ જ મોટો ચાહકવર્ગ છે. પ્રણિતા સુભાષ માત્ર તેના કામ માટે જ જાણીતી નથી, આ સિવાય તે અભિનય સિવાયના મુદ્દાઓ પર પણ પોતાનો અવાજ આપે છે.

આ સમયે અભિનેત્રી પોતાની કેટલીક તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. તેણે ભીમ અમાવસ્યા પર પૂજા કરતી વખતેની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી હતી. જેમાં અભિનેત્રી જમીન પર બેઠેલી જોવા મળી હતી, જ્યારે તેનો પતિ ખુરશી પર હતો અને તેના પગ પ્લેટ પર રાખવામાં આવ્યા હતા. આ તસવીરો શેર કર્યા બાદ લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. હાલ તો પ્રણિતાએ આ અંગે પોતાનો જવાબ આપ્યો છે અને ટ્રોલર્સના મોઢા બંધ કરી દીધા છે.

અભિનેત્રી પ્રણિતા સુભાષે એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે “જીવનમાં દરેક વસ્તુની બે બાજુ હોય છે, પરંતુ આ કિસ્સામાં 90 ટકા લોકો પાસે સારી વાતો હોય છે. હું બાકીના પર ધ્યાન આપતી નથી”. તેણીએ આગળ કહ્યું “હું એક કલાકાર છું અને અમારું ક્ષેત્ર ગ્લેમર છે, તેથી તેનો અર્થ એ નથી કે હું જે સંસ્કારોમાં ઉછરી છું તેનું પાલન નહીં કરું.”

આ વિશે વધુ વાત કરતા અભિનેત્રી પ્રણિતાએ કહ્યું કે તે પરંપરાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમના પિતરાઈ ભાઈઓ, પાડોશીઓ અને મિત્રોએ પણ આ પૂજા કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ગયા વર્ષે પણ પૂજા કરી હતી પરંતુ આ વર્ષે તસવીરો શેર કરી છે. તેણે કહ્યું કે મારા માટે આમાં કંઈ નવું નથી, હું હંમેશાથી પરંપરાગત છોકરી રહી છું, તેથી હું પરંપરા, માન્યતાઓ અને પરિવાર સાથે જોડાયેલી વસ્તુઓને ફોલો કરું છું.

અભિનેત્રીએ કહ્યું કે તે શરૂઆતથી જ પરિવારમાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે તે સંયુક્ત પરિવારમાં રહી છે અને હંમેશા દાદી અને કાકી, કાકા વગેરેની વચ્ચે રહી છે. તેણીએ કહ્યું કે સનાતન ધર્મ એક ખૂબ જ સુંદર ખ્યાલ છે, જે દરેકને નજીક લાવે છે અને હું તેમાં ઘણો વિશ્વાસ કરું છું. પ્રણિતાએ કહ્યું કે ફોરવર્ડ કે આધુનિક વિચારનો અર્થ એ નથી કે આપણે આપણા મૂળને ભૂલી જઈએ. પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવાના પ્રશ્ન પર પ્રણિતા સુભાષે કહ્યું કે આમાં ચર્ચા કરવા જેવું કંઈ નથી, અમે બધા એકબીજાના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તેણે 30 મે, 2021ના રોજ બિઝનેસમેન નીતિન રાજુ સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા અભિનેત્રીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો અને તાજેતરમાં જ તેની નાની પરીની તસવીરો શેર કરતા તેણે જણાવ્યું હતું કે તેણે પુત્રીનું નામ ‘અરના’ રાખ્યું છે.

Niraj Patel