જમ્મુ-કશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને કારણે આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. આતંકીઓએ અચાનક જ પહેલગામમાં ભીડભાડ વાળા સ્થળે ગોળીબાર શરૂ કર્યો અને આ હુમલામાં 3 ગુજરાતીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોને મોતને ભેટ્યા. આ આતંકી હુમલાને કારણે દેશભરમાં રોષનો માહોલ છે. પીએમ મોદીએ પણ આ ઘટના પર તીખો પ્રતિકાર વ્યક્ત કર્યો.
સરકાર દ્વારા આતંકીઓ સામે કડક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે આ હુમલાનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે વીટીવી ન્યુઝ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એક અમદાવાદના રહેવાસીનો છે. આતંકીઓએ જ્યારે બૈસરન ખીણ એરિયામાં ફાયરિંગ કર્યું ત્યારે એક અમદાવાદી પરિવાર પણ હાજર હતો, ગોળીબાર થઇ રહી હતી ત્યારે રુષીભાઈ ઝિપ લાઇનથી નીચે આવી રહ્યા હતા.
તેમના કેમરામાં ફાયરિંગનો વીડિયો કેદ થઇ જવા પામ્યો હતો. રુષીભાઈએ કહ્યું- ‘જ્યારે હું નીચે પહોંચ્યો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો’. તેમણે એ પણ જણાવ્યુ કે તેમનો આખો પરિવાર ખાડામાં છુપાઈ ગયો હતો અને આતંકીઓ લગભગ 30 ફૂટની અંતર સુધી હતા. તેઓ દરેક પર્યટકનો ધર્મ પુછીને ગોળી મારી રહ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે રુષીભાઈ ઝિપ લાઇનની સફળની મજા માણી રહ્યા છે અને આગળ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે લોકો ગોળીબારીના કારણે ભાગદોડ મચાવી રહ્યા છે.
આ સાથે આંતકીઓની ગોળીનો અવાજ પણ સાંભળી રહ્યો છે. પહેલું ફાયરિંગ થયા બાદ થોડો સમય શાંતિ છવાઈ. રુષીભાઈએ આ પળનો લાભ લઇને ધીમે ધીમે પરિવારને લઇને નીચે જવાનું શરૂ કર્યું અને સદ્નસીબે તેમને ત્યાં ભારતીય સેનાના જવાનો મળી ગયા. રુષીભાઈએ જણાવ્યુ કે ‘સેનાની ટીમ ઘટના પછી માત્ર 15-20 મિનિટમાં પહોંચી ગઈ હતી. તેઓએ અમારું રેસ્ક્યૂ કર્યું અને અમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, પછી તરત જ તેમને અમદાવાદ લાવવામાં આવ્યા.’
View this post on Instagram
સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી