લોકડાઉનમાં મજૂરો માટે મસીહા બનીને પ્લેન દ્વારા ઘરે મોકલનારા ખેડૂતે કરી લીધો આપઘાત, કારણ જાણીને તમે પણ રડી પડશો

ગુજરાત સમેત આખા દેશની અંદરથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા લોકો પોતાની બીમારીથી કંટાળીને પણ આપઘાત કરી લેતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે જે સાંભળીને  હજારો લોકોના દિલ તૂટી ગયા છે.

કોરોનાના સમયગાળા દરમિયાન બિહારના મજૂરોને તેમના ઘરે મોકલીને ચર્ચામાં આવેલા અલીપુર વિસ્તારના તિગીપુર ગામના ખેડૂત પપ્પન સિંહ ગેહલોતે મંગળવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ બીમારી ગણાવી છે. પોલીસે તેના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે તેઓ કેટલાક દિવસોથી બીમાર હતા. જો કે બિમારીના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાની વાત લોકોમાં ઉઠી રહી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પપ્પન સિંહ વ્યવસાયે ખેડૂત હતો. તે મશરૂમની ખેતી કરતા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે દેશવ્યાપી લોકડાઉન હતું, ત્યારે કામદારો પગપાળા તેમના ઘરો તરફ રવાના થયા હતા. આવા સમયે પપ્પન સિંહ ગેહલોત ચર્ચામાં આવ્યા હતા. પપ્પન સિંહે લોકડાઉન દરમિયાન તેના મશરૂમના ખેતરોમાં કામ કરતા મજૂરોને વિમાનમાં બિહાર મોકલવાનું અને લોકડાઉન પૂરું થયા પછી તેમને પાછા બોલાવવાનું કામ કર્યું.

બિહારના મજૂરોને મદદ કરનાર ખેડૂત પપ્પન સિંહનો મૃતદેહ તેના ઘરની સામે આવેલા મંદિરના ઘંટ સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસને મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં તેમણે બીમારીના કારણે આપઘાત કર્યાનું લખ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે આલીપોર પોલીસ સ્ટેશન કેસની તપાસમાં જોડાઈ ગયું.

Niraj Patel