પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનતા જ શહબાઝે આપ્યું કાશ્મીર મુદ્દા ઉપર મોટું નિવેદન, પીએમ મોદીને પણ આપ્યો આ સંદેશ, જુઓ

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય મતભેદ બાદ આખરે શહબાઝ શરીફને દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતાની સાથે જ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીર મુદ્દે તેમની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપતાં તેમણે કહ્યું છે કે “કાશ્મીર સમસ્યાનો ઉકેલ કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ થવો જોઈએ.”

શહબાઝ શરીફે કહ્યું કે “અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. અમે કાશ્મીરી લોકોને તેમના હાથમાં છોડી શકતા નથી. રાજદ્વારી રીતે અમે કાશ્મીરી લોકોને અમારું સમર્થન ચાલુ રાખીશું.” પાક પીએમએ વડાપ્રધાન મોદીને પણ સંદેશ આપ્યો છે.

તેમના મતે કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર અને માત્ર કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ જ હોવો જોઈએ. સાથે મળીને તેમની પીડા ઓછી કરવી જોઈએ, ત્યાં ગરીબી દૂર કરવી જોઈએ. જો કે, જારી કરાયેલા નિવેદનમાં શાહબાઝ શરીફ દ્વારા કલમ 370ને લઈને એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે. તે મુદ્દે તેમણે ભારત વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ પાકિસ્તાનની અગાઉની સરકાર પર જ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા પર અગાઉની સરકાર કોઈ પગલાં લઈ શકી ન હતી.

ગરીબી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા શાહબાઝ શરીફે પીએમ મોદી માટે મોટું નિવેદન આપ્યું છે. તેમની નજરમાં બંને બાજુ ગરીબી છે, બેરોજગારી છે, લોકો પાસે દવા નથી. આવી સ્થિતિમાં આપણે આપણી જાતને કેમ આવું નુકસાન આપવા માંગીએ છીએ, આવનારી પેઢીઓને શા માટે બરબાદ કરવા માંગીએ છીએ. જો કે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફે ત્યાંના લોકો માટે પહેલી મોટી જાહેરાત કરી છે. તેમણે નક્કી કર્યું કે હવે પાકિસ્તાનમાં લઘુત્તમ આવક 25 હજાર કરવામાં આવશે.

તો PM મોદીએ પાકિસ્તાનના નવા પીએમને અભિનંદન આપતા કહ્યું, ‘ભારત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે’ PM મોદીએ ટ્વીટ કર્યું, “H.E. Mian Muhammad Shahbaz શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી અમે અમારા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને અમારા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.”

Niraj Patel