અનંત-રાધિકા અંબાણીના ભવ્ય લગ્ન પર ઘરે બેઠા પાકિસ્તાનીઓને સલાહ, ‘અલ્લાહ તમને પણ કાબિલ બનાવે…’

અનંત અંબાણીના ભવ્ય લગ્નની આલોચના કરવાવાળા પર વરસ્યો પાકિસ્તાની એક્ટર

ભારતના મશહૂર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઇ. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ લગ્નની ખૂબ ચર્ચા થઈ. આ લગ્નને લઈને ફેલાયેલા નકારાત્મક વાતાવરણને લઈને એક પાકિસ્તાની કલાકારે સાથી પાકિસ્તાનીઓને સલાહ આપી છે.

પાકિસ્તાની કલાકાર નૌમાન એજાઝે કહ્યું કે- લોકોએ અંબાણીના લગ્નની ટીકા કરવાનું બંધ કરવું જોઈએ. તાજેતરમાં જ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં નૌમાને અંબાણીના લગ્નનો બચાવ કરતા કહ્યું- અંબાણી તેમના પોતાના પૈસા ખર્ચી રહ્યા છે, તો તેમને આની મજા લેવા દો. જે પણ લોકો આ વાતને લઇને અંબાણીની બુરાઇ કરી રહ્યા છે તેમના માટે હું દુઆ કરીશ કે તેઓ લગ્નમાં આટલા પૈસા ઉડાડવા લાયક થઇ જાય.

એજાઝે આગળ લખ્યુ- ખુશી એમની, પૈસા એમના, મજા એમની… આપણે આટલા દૂર બેસીને તેમના પૈસા અને ખુશી પર નીચુ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આખરે આપણે આટલી ચિંતામાં કેમ છીએ. જો આપણે તેને પસંદ નથી કરતા તો તે એક સીધી વાત છે, તેના પર ધ્યાન ન આપો, તેમને નજરઅંદાજ કરો ના કી તેમની વાત કે કામને લઇને પોતાની રાય આપતા ફરો.

આરામ કરો મિત્રો દુઆ કરુ કે અલ્લાહ તમને આ કાબિલ બનાવે. જણાવી દઇએ કે નૌમાનની ટિપ્પણી પાકિસ્તાની એક્ટર અર્સલાન નસીર દ્વારા અનંત અને રાધિકાના માર્ચમાં શરૂ થયેલ ભવ્ય લગ્ન પહેલાના જશ્ન વિશે મજાક કરવાના કેટલાક દિવસો બાદ આવી છે.

Shah Jina