‘100 કિમી લાંબો મોતનો હાઇવે’ ગુજરાતમાં આ ડેન્ઝર ઝોનમાં સાયરસ મિસ્ત્રી સિવાય આટલા બધા મૃત્યુ પામ્યા

સાયરસ મિસ્ત્રીની મોતવાળો હાઇવે છે મોટો ખતરનાક, છેલ્લા એક વર્ષમાં અધધધ મૃત્યુ થયા, આંકડો સાંભળીને ધ્રુજવા માંડશો

આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચારે દેશને હચમચાવી નાખ્યો હતો. સત્તાવાર ડેટા દર્શાવે છે કે આ હાઇવે એ માત્ર સાયરસ મિસ્ત્રી જ નહીં ઘણા લોકોના જીવન છીનવી લીધા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે થાણેના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દાપચારી વચ્ચેના મુંબઈ-અમદાવાદ હાઈવેના 100 કિલોમીટરના પટમાં આ વર્ષે 262 અકસ્માતો થયા છે જેમાં ઓછામાં ઓછા 62 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 190થી વધારે ઘાયલ થયા છે.

આમાંના ઘણા બનાવોમાં, ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડિંગ જીવલેણ સાબિત થાય છે. જો કે, અધિકારીઓ એમ પણ કહે છે કે રસ્તાની નબળી જાળવણી, યોગ્ય ચિહ્નોનો અભાવ અને ઝડપને અંકુશમાં લેવાના પગલાં પણ અકસ્માતોની મોટી સંખ્યા માટે જવાબદાર છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 ગંભીર અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે. ચિંચોટી નજીક 34 ગંભીર અકસ્માતોમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે મનોર પાસે 10 અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચરોટી બ્લેક સ્પોટ છે.

મોટાભાગના અકસ્માતો ચરોટીથી મુંબઈ તરફના 500 મીટર સુધીના રસ્તા પર થાય છે. અહીં રોડ સૂર્યા નદી પરના પુલ પહેલાં વળે છે, કારણ કે ત્રણ-માર્ગીય કેરેજવે બે ભાગમાં સાંકડો થઈ જાય છે, જે મુંબઈ તરફ જાય છે. હાઈવે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હાઈવે પર પુલ પર પહોંચતા પહેલા કોઈ અસરકારક રોડ સાઈન અથવા સ્પીડ સ્ટોપ સાઈન અને ચેતવણીના ચિહ્નો નથી. રસ્તાની જાળવણી માટે જવાબદાર ઇન્ડિયન રોડ કોંગ્રેસની સલામતી માર્ગદર્શિકાની અવગણના કરવામાં આવી હોવાનું જણાય છે.

હાઈવે પોલીસના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ તેની જાળવણીની જવાબદારી ખાનગી ટોલ વસૂલતી એજન્સીની છે. નિયમ એવો છે કે એજન્સીએ દર 30 કિલોમીટરે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર રાખવી જોઈએ. ક્રેન અને પેટ્રોલિંગ વાહનો પણ હોવા જોઈએ. મહારાષ્ટ્ર પોલીસે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખીને સલામતીનાં પગલાં અંગે નિષ્ણાતનો અભિપ્રાય માગ્યો છે અને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટને રોડ સેફ્ટી ઑડિટ કરવા જણાવ્યું છે.

Shah Jina