BREAKING : મમ્મી નીતુ કપૂરે લગ્નને લઈને કર્યો સૌથી મોટો ખુલાસો, બધા ફેન્સ ખળભળી ઉઠ્યા

બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે જાણીતા એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂરની મેરેજ સેરેમની આજ બપોર પછીથી શરૂ થઇ ગઈ છે ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ઘણા બધા ફેન્સ કપલને ગિફ્ટ મોકલી રહ્યા છે. બોલિવૂડના ટોપ સેલિબ્રિટી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મેરેજની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પૂજાની શરૂઆત કરવામાં આવી છે. અભિનેત્રી નીતુ કપૂર તેની પુત્રી રિદ્ધિમા કપૂર અને પૌત્રી સાથે લગ્નની વિધિઓ પહેલા યોજવામાં આવેલી પૂજામાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાપારાઝીએ તેમને સ્પોર્ટ કર્યા છે અને તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રણબીર કપૂરની મોમ અને તેની દીદી રીધ્ધીમા કપૂર સજી ધજીને નજરે આવ્યા હતા. બંને ને ફોટોગ્રાફરે ઘેર્યા અને સેલિબ્રિટીના કપલના લગ્ન વિશે પૂછ્યું. તે સમયે સવાલ પૂછ્યો કે હવે જણાવી દો લગ્ન ક્યારે છે ત્યરે નીતુ કપૂરે કહ્યું કે કાલે ગુરુવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન છે.

સુપરસ્ટાર સેલિબ્રિટીના લગ્નને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, આ અટકળો વચ્ચે કપૂર પરિવારનું એક વેડિંગ કાર્ડ વાયરલ થયું છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. ફેન્સે હજુ સુધી અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્નનું કાર્ડ જોયું નથી, પણ કપૂર ખાનદાનનું એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

આ છે ઋષિ કપૂર અને નીતુ કપૂરના વેડિંગ રિસેપ્શનનું કાર્ડ, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે રણબીર-આલિયાનું રિસેપ્શન કાર્ડ પણ આવું જ હશે. કોઈ કહી રહ્યું છે કે કપલના મેરેજ 15 એપ્રિલે આરકે ફેમિલી હાઉસમાં થશે, જ્યારે આલિયાના ભાઈ રાહુલ ભટ્ટનું કહેવું છે કે તેમણે લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, જેનું કારણ સુરક્ષા છે. હવે સત્ય ગમે તે હોય, પરંતુ આ દરમિયાન ઋષિ કપૂર-નીતુ કપૂરના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે 1980નું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC