થોડા જ દિવસમાં 15મી ઓગસ્ટ આવી રહી છે અને આ વખતે 15મી ઓગસ્ટના રોજ દેશ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. મોદી સરકારે તેને આઝાદી કા અમૃત મહોત્સવ નામ આપ્યું છે. આ અંતર્ગત હવે સરકારે હર ઘર પર તિરંગા અભિયાનની પણ શરૂઆત કરી છે. તેમાંથી પ્રેરણા લઈને લોકોએ અલગ-અલગ જગ્યાએ તિરંગો ફરકાવવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ હરિદ્વારથી એક વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર હરિદ્વારથી સામે આવેલો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. હરિદ્વારના હર કી પૌરી ઘાટ પર ગંગા નદીની વચ્ચે એક વ્યક્તિએ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વ્યક્તિનો વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગંગા નદીમાં તિરંગો ફરકાવતો હતો. આ વ્યક્તિએ હાથમાં ત્રિરંગો લીધો છે અને તે પ્રવાહ સાથે તરી રહ્યો છે. ઘાટ પર આ વ્યક્તિને જોનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @umda_panktiyan નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર થોડા કલાકો પહેલા જ શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે, સાથે જ ઘણા બધા લોકો આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે કોમેન્ટમાં જય હિન્દ પણ લખી રહ્યા છે.
जपकर नाम सुधार ले, जन्म-जन्म के पाप ।
शिव भोले तेरे सभी, करें दूर संताप ।। pic.twitter.com/Ew8tRQ9YSF— उम्दा_पंक्तियां (@umda_panktiyan) August 2, 2022
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત થોડા દિવસો પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડે પણ સમુદ્રમાં તિરંગો ફરકાવ્યો હતો. અંડરવોટર ફ્લેગ ડેમો અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડનો ઉદ્દેશ્ય લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને રાષ્ટ્રધ્વજ અંગે જાગૃતિ લાવવાનો છે. ત્યારે આ 15 ઓગસ્ટ પણ હર ઘર તિરંગા જોવા મળશે.