આસ્થા કે અંધશ્રદ્ધા ? નાગ પંચમીના દિવસે ભેંસાસુર બનીને ઘાસ ખાઈ રહ્યો છે આ માણસ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ

આજે દેશ અને દુનિયા ઘણી આધુનિક બની ગઈ છે, છતાં પણ કેટલીક જગ્યાએ અંધવિશ્વાસ વ્યાપેલો જોવા મળે છે. આવા જ અંધવિશ્વાસના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. તો ઘણીવાર અંધવિશ્વાસની એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ભૂસું ખાતો જોવા મળી રહ્યો છે.

સામાન્ય વ્યક્તિ નાગપંચમીના દિવસે ભેંસાસુર બની જાય છે. પ્રાણીઓ માટે ભરવામાં આવતા ઘાસના તગારામાંથી આ વ્યક્તિ ઘાસ ખાઈ રહ્યો છે. ગુરુવારે આ નાગપંચમી પર ઘાસ ખાવાનો વીડિયો વાયરલ થયો છે. મહારાજગંજના કોલ્હુઈ વિસ્તારનો એક વ્યક્તિ નાગપંચમીના દિવસે જાનવરોની જેમ ઘાસ ખાય છે. આ વીડિયો જિલ્લામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોલ્હુઈના રૂદ્રપુર શિવનાથ ગામનો રહેવાસી બુધીરામ છેલ્લા ઘણા સમયથી આ રીતે ઘાસ ખાય છે.

કોલ્હુઈના રૂદ્રપુર શિવનાથ ગામના રહેવાસી બુધીરામ રોડવેઝના નિવૃત્ત કર્મચારી છે. જેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘણા વર્ષોથી, નાગપંચમીના તહેવારના દર ત્રીજા વર્ષે, તે ગામમાં જ સ્થિત માતાના મંદિરમાં સ્થાપિત ભેંસાસુરની પ્રતિમાની સામે પ્રાણીઓની જેમ ભૂસું અને ચારો ખાય છે. આ વખતે નાગપંચમી પર વીડિયો વાયરલ થયો હતો. આમાં તે ભૂસું અને પાણીમાં મોઢું નાખીને ચારો ખાઈ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નાગપંચમીના અવસર પર બુધીરામ માણસમાંથી પ્રાણી બની જાય છે. નાગપંચમીના દિવસે તેઓ ઘરની બહાર બનેલા સમૈયા માતાના મંદિર પર બિરાજે છે. લોકો ફૂલો અને હાર પહેરાવી તેમનું સ્વાગત કરે છે. કહેવાય છે કે તે તગારામાં પ્રાણીની જેમ ભૂસું અને ચારો ખાવા લાગે છે. તેની અદભૂત શ્રદ્ધા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

બુધીરામનો દાવો છે કે છેલ્લા 40-45 વર્ષથી તે ભેંસાસુર પર સવારી કરી રહ્યો છે. આવું દર ત્રણ વર્ષે નાગપંચમીના દિવસે થાય છે. બાકીનો દિવસ તે સામાન્ય જીવન જીવે છે. નાગપંચમી પર પણ થોડા સમય માટે આવું થાય છે અને પછી પૂજાના થોડા કલાકો પછી તે સામાન્ય થઈ જાય છે.

Niraj Patel