BREAKING : દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણીને આવ્યો હૃદયરોગનો હુમલો…દીકરીઓ પ્રાર્થના કરવા લાગી- જાણો વિગત

સમાજસેવક અને ઉદ્યોગપતિ તેમજ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર અને હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઇ સવાણી તેમના કાર્યોને લઇને ઘણા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ તેમના સાથે જોડાયેલી એક ખબર સામે આવી રહી છે. ગત મોડી રાત્રે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદને લઇને પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થયુ હતુ.

તેમને હાર્ટ એટેક આવ્યાની જાણ થતા જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો હોસ્પિટલ ખાતે તેમની તબિયત જાણવા માટે પહોંચી રહ્યા છે. જો કે, હાલ તો તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં પરિવારજનો પણ ચિંતામા મૂકાઇ ગયા હતા અને પરિવારના સભ્યો સહિત ઘણા લોકો હોસ્પિટલ તેમના ખબર અંતર પૂછવા પણ પહોંચી રહ્યા છે.

ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવતા પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, થોડા સમય અગાઉ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેઓએ તે સમયે કહ્યુ હતુ કે તેઓ હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Shah Jina