શું તમે પણ ફ્રિજમાં મૂકો છો વધેલો લોટ ? તો આ લોટને ટાળવાના કારણ જાણો અને સુરક્ષિત રાખવાની ટિપ્સ પણ…

રોટલી બનાવવામાં ઘણો સમય લાગે છે, તેથી ઘણા લોકો ઝડપથી કામ પૂરું કરવા માટે એક સાથે વધુ લોટ બાંધી મૂકી રાખે છે. એમાં કોઈ શંકા નથી કે આ રસોઈમાં ઘણો સમય બચાવે છે, પરંતુ સામાન્ય રીતે લોકો અહીં ભૂલો કરે છે. જેના કારણે લોટ ઘણા બેક્ટેરિયા અને ફૂગથી ભરાઈ જાય છે અને ઝેર બની જાય છે. તેમજ શરીરને બીમાર બનાવે છે. જો તમે રોટલીના લોટને રેફ્રિજરેટરમાં ખોટી રીતે સ્ટોર કરો છો, તો તેમાં પ્વાઇજનિંગ સાલ્મોનેલા અને ઇ.કોલાઇ જેવા બેક્ટેરિયા થઇ શકે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આનાથી એસિડિટી, કબજિયાત અને સ્ટ્રોકનું જોખમ રહેલું છે. જો તમે લોટને પ્લાસ્ટિક અથવા બાઉલમાં મૂકો, તેને પ્લેટથી ઢાંકીને રેફ્રિજરેટરમાં રાખો છો તો આ રીત આજે જ છોડી દો. ઘણા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે લોટને રેફ્રિજરેટરની અંદરના તાપમાને ખુલ્લા રાખવાથી તે બિનઆરોગ્યપ્રદ બને છે. જો લોટને તમે ફ્રિજમાં રાખ્યા પહેલા એરટાઇટ કન્ટેનરમાં બંધ રાખો તો આનાથી લોટ ખરાબ નથી થતો અને રોટલી પણ નરમ બને છે.

ધ્યાનમાં રાખો કે તમારે આ લોટનો ઉપયોગ ફક્ત 7-8 કલાકની અંદર કરવાનો છે.ફ્રીજમાં સંગ્રહિત બચેલા લોટને ટાળવાનું એટલા માટે કારણ કે જો લાંબા સમય સુધી બાંધેલ લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો તેની સુગંધ અને રંગ બદલાય છે. એટલે કે લોટ ખરાબ થઈ ગયો એવું…આ ઉપરાંત તેનો સ્વાદ અને પોષણ મૂલ્ય પણ ઘટે છે. ફ્રિજમાં રાખવામાં આવેલ બાંધેલ લોટ થોડા સમય પછી બેક્ટેરિયા અને ફૂગનું ઘર બની શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. ગુજ્જુરોક્સ ઉપરોક્ત કોઇ પણ માહિતીની પુષ્ટિ નથી કરતુ. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.)

Shah Jina
error: Unable To Copy Protected Content!