જાણો કેમ આટલુ કિંમતી છે ભારતનું લાલ સોનું, જેના માટે તડપે છે ચીન

લાલ ચંદન ભારતમાં એક ખાસ જગ્યાએ જ જોવા મળે છે. તેના લાકડાનું વિશેષ મહત્વ છે અને તેનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાય છે. લાલ ચંદનનું વૈજ્ઞાનિક નામ Pterocarpus santalinus છે. તે આંધ્ર પ્રદેશના જંગલોમાં જોવા મળે છે. ચીનમાં આ રક્તચંદનના વૃક્ષની ખાસ માંગ છે. તેના ઝાડની મોટા પાયે દાણચોરી પણ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચંદનના વૃક્ષોનું રક્ષણ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો દ્વારા કરવામાં આવે છે.

આંધ્રપ્રદેશની શેષાચલમ પહાડીઓમાં રક્તચંદનના વૃક્ષો જોવા મળે છે. હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે અને તેને એકદમ પવિત્ર માનવામાં આવે છે. પૂજામાં ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. શ્વેત ચંદનમાં સુગંધ હોય છે, પરંતુ રક્તચંદનમાં સુગંધ હોતી નથી, પરંતુ તે ગુણકારી હોય છે. ઔષધીયની સાથે તેનો સુંદરતા માટે પણ ઉપયોગ થાય છે.

મોંઘા ફર્નિચર અને ડેકોરેશન વર્ક માટે પણ રક્ત ચંદનના લાકડાની માંગ છે. આ સિવાય દારૂ અને સૌંદર્ય પ્રસાધનોમાં ચંદનના લાકડાનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનના લાકડાની કિંમત ઘણી વધારે છે. આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર, ભારત લાલ ચંદનના વૃક્ષોના રક્ષણ માટે જવાબદાર છે.

લાલ ચંદનના વૃક્ષો આંધ્ર પ્રદેશના ચાર જિલ્લાઓ, ચિત્તૂર, કુડ્ડાપાહ, નેલ્લોર, કુરનૂલમાં ફેલાયેલી સેશાચલમ પહાડીઓમાં જોવા મળે છે. આંધ્ર પ્રદેશના આ જિલ્લાઓ તમિલનાડુની સરહદને અડીને આવેલા છે. તેના વૃક્ષો 11 મીટર સુધી ઊંચા હોય છે, પરંતુ તેની ઘનતા વધારે હોય છે. લાલ ચંદનની સૌથી મોટી ઓળખ એ છે કે તે પાણીમાં ડૂબી જાય છે.

લાલ ચંદનની મોટા પાયે દાણચોરી થાય છે. શેશાચલમની પહાડીઓ 2.5 લાખ હેક્ટરમાં ફેલાયેલી છે. અહીં જોવા મળતા ખાસ લાલ ચંદનના વૃક્ષોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. 2015માં એક એન્કાઉન્ટર થયું હતું જેમાં 20 દાણચોરો માર્યા ગયા હતા. આ ઉપરાંત મોટા પાયે દાણચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ દાણચોરી કરતી જોવા મળે છે, તો તેને 11 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

દાણચોરો લાલ ચંદનની દાણચોરી રોડ, પાણી અને હવાઈ માર્ગથી કરે છે. પકડાઈ ન જાય તે માટે તસ્કરો તેના પાવડરની પણ દાણચોરી કરે છે. વિશ્વના ઘણા દેશોમાં આ ખાસ ચંદનના લાકડાની માંગ છે, પરંતુ તેની સૌથી વધુ માંગ ચીનમાં છે.

YC