નવરાત્રીના રંગમાં રંગાયો આફ્રિકાન ખેલાડી, પહેલા નોરતાએ જ મંદિરમાં નમાવ્યું માથું અને લીધા આશીર્વાદ, જુઓ તસવીરો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની રોમાંચક T20I શ્રેણી બુધવાર 28 સપ્ટેમ્બરથી કેરળમાં શરૂ થવા જઈ રહી છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટીમ પણ T20 વર્લ્ડ કપ પહેલા આ મહત્વપૂર્ણ શ્રેણી માટે ભારત પહોંચી ગઈ છે. જેની ઝલક પણ ગતરોજ એરપોર્ટ ઉપરથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલુ મેચમાં બતાવવામાં આવી હતી.

તો બીજી તરફ ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી કરવામાં આવી રહ્યો છે. આજથી નવ દિવસના આ શુભ અવસર પર દેશ ઝગમગી ઉઠે છે. ક્યાંક તેને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે તો ક્યાંક ગરબા રમીને. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજ પણ ભારતના આ ઉત્સવમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના ઘાતક લેફ્ટ આર્મ સ્પિનર ​​કેશવ મહારાજના પૂર્વજો ભારતના હતા. તે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં રહેતો હતો. પરંતુ વર્ષ 1874માં તેમણે ભારત છોડીને દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં જવાનું નક્કી કર્યું. જે બાદ તે ક્યારેય ભારત પરત આવ્યો નથી. બીજી તરફ કેશવ મહારાજ વિદેશમાં રહીને પણ પોતાના રિવાજો ભૂલ્યા નથી.

જણાવી દઈએ કે કેશવ હાલમાં T20 અને ODI સીરીઝ માટે ભારતના પ્રવાસે છે. આવી સ્થિતિમાં, તેમણે નવરાત્રિ દરમિયાન ભારતમાં હોવાનો પૂરો લાભ લીધો અને આ મોટા પ્રસંગની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી છે. જે યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે. કેશવ મહારાજ પોતાની ભારતીય સંસ્કૃતિને બિલકુલ ભૂલ્યા નથી અને તેઓ વિદેશમાં રહીને પણ હનુમાનજીની પૂજા કરે છે.

કેશવ પોતાને હનુમાનજીના મહાન ભક્ત તરીકે વર્ણવે છે. આ સાથે તે રામજીની પણ પૂજા કરે છે. આવી સ્થિતિમાં હવે તેણે નવરાત્રીના આ શુભ અવસર પર કેરળના પદમાનંદ સ્વામી મંદિરની એક તસવીર શેર કરી છે. જેમાં તે ધોતી અને ગમછામાં જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા, કેશવે તમામ ભારતીય ચાહકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. આવી સ્થિતિમાં હવે મહારાજની આ તસવીર ઇન્ટરનેટ પર હેડલાઇન્સ બનાવી રહી છે.

Niraj Patel