તો શું હવે ‘અમર’ થઈ જશે માનવી, કંપનીએ કર્યો દાવો, ઈચ્છે ત્યાં સુધી મનુષ્યને જીવતો રાખી શકે છે

કાળામાથાના માનવીએ ભગવાનને ફેંક્યો પડકાર, ઈચ્છે ત્યાં સુધી મનુષ્યને જીવતો રાખી શકે છે..

માનવ ઈતિહાસમાં એવા ઘણા લોકો થયા જે હંમેશ માટે જીવવા અથવા કહીએ તો અમર રહેવાની અશક્ય મહત્વાકાંક્ષા રાખતા હતા. પહેલા આ શક્ય નહોતું, પરંતુ હવે આ વૈજ્ઞાનિક યુગમાં, એક કંપનીએ ચોક્કસપણે દાવો કર્યો છે કે તેઓ ઇચ્છે ત્યાં સુધી મનુષ્યને ‘જીવંત’ રાખી શકે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

એક અહેવાલ પ્રમાણે સ્કોટ્સડેલ એરિઝોના સ્થિત ફર્મ અલ્કોર ક્રાયોનિક્સે દાવો કર્યો છે કે મૃત્યુ પછી, શરીરને એક ખાસ ઠંડક પ્રક્રિયા પછી ફરી જીવંત કરી શકાય છે.

કંપનીના દાવા મુજબ, કાયદાકીય રીતે મૃત્યુ પછી મૃતદેહ અને મગજને પ્રવાહી નાઇટ્રોજનમાં ફરીથી ર્જીવિત કરવા અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય શરીરમાં મૂકવાના ફોર્મ્યુલાને શોધી કાઢ્યો. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીમાં ભવિષ્યમાં મૃત્યુ પછી મનુષ્યને ફરીથી જીવિત કરવાની શક્તિ હશે.

અલ્કોર ફર્મના મતે, મૃત શરીરને સંપૂર્ણ સુરક્ષા હેઠળ રાખવાનો ખર્ચ 200,000 ડોલર એટલે કે 1,49,99,900 રૂપિયા છે. તે જ સમયે, વ્યક્તિના મૃત્યુ પછી, તેનો પ્રતિ વર્ષ ખર્ચ 705 ડોલર એટલે કે 52,874 રૂપિયા થાય છે. તે જ સમયે, ન્યુરો-દર્દી માટે, આ કિંમત 80,000 ડોલર એટલે કે 59,99,960 રૂપિયા છે જ્યાં તેઓ આ તકનીક દ્વારા તેમના મગજને સાચવી શકે છે.

કંપનીના બ્રિટિશ સીઈઓ મેક્સ મોરના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા વાસ્તવમાં બહુમતી માટે એકદમ સસ્તી ૉ છે. તેમણે કહ્યું, મોટાભાગના લોકો માને છે કે મારી પાસે આ કામ માટે 80,000 ડોલર અથવા 200,000 ડોલર નથી, પરંતુ તેમના માટે તે કરવું લાભદાયક છે.

YC