હોળીના દિવસે આ 7 ઉપાયમાંથી કોઇ પણ એક ઉપાય કરો, નહિ થાય ધનની કમી

બહુ દુઃખ અને ગરીબી સહન કરી, હવે હોળીના દિવસે આ 7 ઉપાયમાંથી કોઇ પણ એક ઉપાય કરો- રાજાની જેમ જિંદગી જીવશો

આ વર્ષે હોળી એટલે કે ફાલ્ગુન પૂર્ણિમા પર ચંદ્રગ્રહણનો સાયો રહેશે. હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ વખતે હોલિકા દહન 24મી માર્ચે થશે અને ચંદ્રગ્રહણ બીજા દિવસે 25મી માર્ચે થઇ રહ્યુ છે. વાસ્તવમાં આ વખતે 24મી માર્ચે મોડી સાંજે પૂર્ણિમાની શરૂઆત થઈ રહી છે. આવી સ્થિતિમાં પૂર્ણિમા તિથિ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી રહેશે અને ચંદ્રગ્રહણ પણ 25 માર્ચે થવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને જો આ ગ્રહણના સુતક કાળની વાત કરીએ તો કોઈ સુતક સમયગાળો નહીં હોય.

સુતક કાળ માન્ય ન હોવાને કારણે આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્વ રહેશે નહીં. આ ગ્રહણ વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ છે જે 25 માર્ચ, 2024ના રોજ સવારે 10:24 થી બપોરે 03:01 વાગ્યા સુધી થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 04 કલાક 36 મિનિટનો રહેશે. સમયગાળા દરમિયાન મંદિરોના પદો બંધ કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઘણુ મહત્વ છે. હવે બસ ગણતરીના દિવસોમાં જ હોળીનો તહેવાર આવી રહ્યો છે.

હોલિકા દહનના દિવસે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે કે, જેનાથી તમારા ઘરના બધા સંકટ દૂર થાય. હોલિકા દહનના બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે જેને ધૂળેટી કહેવામાં આવે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે કેટલાક ખાસ કાર્ય કરવાથી ઘરમાંથી બધા સંકટ દૂર થઇ જાય છે. તેમજ ધન-ધાનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ધરમાં કોઇ ખાસ વસ્તુ લાવવાથી સુખ-સંપત્તિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે.

1.એક આંખવાળુ નારિયળ :- એક આંખ વાળા નારિયળને એકાક્ષી નારિયળ કહે છે. જે ઘરમાં આ નારિયળની પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ હંમેશા બની રહે છે.

2.શ્રીયંત્ર :- શ્રીયંત્રમાં દેવી લક્ષ્મી સહિત 33 કોટી દેવી શક્તિ વાસ કરે છે. આ યંત્રને દુકાનમાં કે ઘરમાં ધન વાળા સ્થાન પર રાખવાથી ધન, વૈભવ વગરેની પ્રાપ્તિ થાય છે.

3.હત્થા જોડી :- હત્થા જોડી દેખાવમાં ધતૂરાના ઝાડ જેવી હોય છે. તંત્ર વિદ્યામાં તે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિવારના દિવસે તેને ખરીદી અને લાલ કપડામાં બાંધી લોકર પાસે રાખો. કહેવામાં આવે છે કે, આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

4.પીળી કોડિઓ :- શુક્રવારના દિવસે તેને ખરીદી લાલ કપડામાં બાંધી લોકર પાસે રાખો. જયોતિષ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

5.સફેદ આંકની જડ :- જયોતિષવિદો અનુસાર કહેવામાં આવે છે કે, સફેદ આંકની જડને શુભ સમય પર ઘરમાં ધન વાળી જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં બરકત એટલે કે વધારો થાય છે.

6.ગોમતી ચક્ર :- જો તમે ધન કમાવ છો પણ વચાવી શકતા નથી તો 11 ગોમતી ચક્ર પીળા કપડામાં લપેટીને ધન બોક્સમાં રાખી દો.

7.મોતી શંખ :- મોતી શંખ માત્ર આર્થિક સ્થિતિ સુધારે એટલુ જ નહિ પરંતુ શારીરક રોગોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. તેને સાફ અને પવિત્ર જગ્યા પર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina