આ દિવાળીએ પૈસાની તંગી દૂર કરવા કરો આ ઉપાય, માં લક્ષ્મી થશે પ્રસન્ન

દેવામાંથી બહાર આવવા આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા

પંચાંગ મુજબ રોશનીનો તહેવાર દિવાળી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર 04 નવેમ્બર 2021 એટલે કે ગુરુવારે ઉજવાશે. દિવાળીનો તહેવાર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

દિવાળીના પ્રસંગે લક્ષ્મીજીને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાથી આપણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે તમે મહાલક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો.


1.દિવાળીના દિવસે વહેલી સવારે ઉઠીને દેવી લક્ષ્મીના મંદિરે જઈને તેમને વસ્ત્રો અર્પણ કરો. આ સાથે, માતાના આશીર્વાદ મેળવવા માટે સુગંધિત ગુલાબની અગરબત્તિ પ્રગટાવો.
2. દિવાળીના દિવસે ગરીબોને કપડાં, પૈસા અને મીઠાઈ આપીને તેમની મદદ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

3. એવું કહેવામાં આવે છે કે દિવાળી પર લક્ષ્મીની પૂજા કર્યા બાદ પોતાના ઘરમાં શંખ અને ઘંટ વગાડો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે.
4. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, પૂજા કરતી વખતે કમળની માળા પહેરો, આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

5. દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન શેરડીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આવું કરવાથી ધન અને સંપત્તિ વધે છે.
6. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને, લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ સતત બન્યા રહે છે.

 

Patel Meet