સવજીભાઈ ધોળકિયાને દીકરા અને ભત્રીજાઓ તરફથી મળી 50 કરોડ રૂપિયાની આ ખાસ ભેટ, તસવીરો જોતા જ તમે પણ વાહ વાહ કરવા લાગશો

સવજીભાઈ ધોળકિયા આજે ગુજરાતનું જ નહિ પરંતુ દેશનું પણ એક મોટું નામ બની ગયા છે, સવજીભાઈ ધોળકિયાને સુરતના ડાયમંડ કિંગ કહેવામાં આવે છે, આ સાથે જ તેમના સેવાકીય કાર્યો પણ કોઈથી છુપા નથી અને એટલે જ સરકાર દ્વારા પણ તેમને પદ્મશ્રી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

સવજીભાઈના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો લોકોને જાણવામાં રસ હોય છે, ત્યારે હાલમાં જ સવજીભાઈ ધોળકિયાને તેમના પરિવાર દ્વારા ખુબ જ શાનદાર 50 કરોડ રૂપિયાની ગિફ્ટ મળી છે, જેની ચર્ચાઓ થતી પણ જોવા મળી રહી છે. સવજીભાઈના દીકરા અને તેમના ભત્રીજાઓએ ભેગા મળી અને તેમને 50 કરોડનું હેલીકૉપ્ટર ભેટમાં આપ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી મળવાની જાહેરાત થતા જ પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેના બાદ પરિવારે તેમના માટે ખાસ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં તેમને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાર્ટી બાદ 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં તેમના મોટાભાઈ હિંમતભાઇ તેમજ નાના ભાઇઓ ઘનશ્યામ ભાઈ અને તુલસીભાઇ સહીત તેમના પરિવારના 8 દીકરાઓએ મળીને તેમને 50 કરોડ રૂપિયાનું હેલીકૉપ્ટર ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

ત્યારે આ બાબતે મીડિયા સાથે વાત કરતા સવજીભાઈના નાનાભાઈ તુલસીભાઇએ જણાવ્યું હતું કે “અમારા પરિવારે ખૂબ જ વિચાર મંથન કર્યું કે આપણે પરિવારજનો આપણા પરિવારના મોભીને શું ભેટ આપીએ તો સારું ? ખુબ વિચાર અને મંથનના કર્યા બાદ અંતે એક એવો નિર્ણય લેવાયો કે અત્યારે સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે, અને તેઓનો સમય બચે અને તેમને જ્યાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે ઉપરાંત સમયસર તેમના કામ પણ થઈ શકે. વધારામાં વધારે સામાજિક સેવામાં તેમનો સમય વાપરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને અમારા પરિવારે તેઓને હેલીકોપ્ટર ગિફ્ટ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

આગળ તેમને જણાવ્યું કે હેલિકોપ્ટર ખરીદવા માટે ઘણી બધી એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સૌથી મહત્વનું હતું કે આ કામ સવજીભાઈથી છુપૂું રાખવું. જ્યાં સુધી ફાઈનલ થાય ત્યાં સુધી સવજીભાઈ સુધી આ વાત પહોંચે નહીં, તેની કાળજી રાખવાની હતી. જો કદાચ કોઈ એજન્સી સીધા જ સવજીભાઈને ફોન કરીને વાત કરે તો અમારું સસ્પેન ખુલી જાય તેવું હતું . જેના કારણે અમે ખુબ જ સાવધાની પૂર્વક એજન્સીઓ પાસેથી ભાવ લીધા અને જલ્દીથી ડીલીવરી મળી જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યા તે છતા પણ ડીલેવરી મળવામાં એક મહિના જેટલો સમય વીતી જશે.

ત્યારે સવજીભાઈએ આ બાબતે જણાવ્યું કે “મને આટલી ઊંચાઇએ પહોંચાડવા માટે માતા-પિતાના આશીર્વાદ અને પરિવારના દરેક સભ્યનો સંપૂર્ણ સહકાર મળ્યો છે. મોટાભાગે અમારા પરિવારમાં કોઈપણ નિર્ણય મને પૂછીને કરવામાં આવતો હોય છે પરંતુ આ નિર્ણય નાના ભાઈઓ એ મારા માટે કર્યો છે તેનાથી વિશેષ આનંદશું હોઈ શકે.

Niraj Patel