ગઈકાલે પાકિસ્તાનની અંદર એક ખુબ જ દર્દનાક ઘટના ઘટી. જયારે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન એક રેલીમાં હત્યા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એક વ્યક્તિ AK-47 લઈને રેલીમાં આવ્યો અને ધડાધડ ગોળીઓ ચલાવી જેના કારણે ઇમરાન ખાન સહિત 7 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇમરાન ખાનના જમણા પગમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ગોળીબાર કરનારની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.
ગોળીબાર કરનારા વ્યક્તિની ધરપકડ બાદ પુછપરછમાં તેણે આ ગોળીબાર કરવા પાછળનો ખુલાસો કર્યો છે, તેણે ઇમરાન ખાન પર જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. પહેલા આ હુમલાવરને મારી નાખ્યો હોવાની પણ ખબર સામે આવી હતી, પરંતુ હવે આ ખબર પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આ ગોળીબારીમાં ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાન હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જયારે પોલીસે આ હુમલાવરને ઇમરાન ખાન પર હુમલો કરવાનું કારણ પૂછ્યું તો તેને કહ્યું કે તેને ફક્ત ઇમરાન ખાનને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો મતલબ થાય છે કે આ એક જીવલેણ હુમલો હતો. ઇમરાન ખાનને મારવાનું પ્લાનિંગ કેમ કર્યું તો તેના જવાબમાં તેણે કહ્યું કે એક તરફ અઝાન થતી હતી અને બીજી તરફ આ લોકો ઓડિયો સિસ્ટમ લગાવીને મોટા અવાજ કરતા હતા. જે વસ્તુને મેં સારી નહોતી માની.
હુમલાવરે આગળ એમ પણ જણાવ્યું કે મેં આ પ્લાન એ દિવસે જ બનાવ્યો હતો જે દિવસે ઇમરાન ખાનની લાહોરમાં રેલી શરૂ થઇ હતી. આ હુમલામાં કોઈ બીજું તેની સાથે હતું તેના જવાબમાં તેને કહ્યું કે આ પ્લાન મેં એકલાએ જ બનાવ્યો અને એકલાએ જ હુમલાને અંજામ આપ્યો. તેને કહ્યું કે તે બાઈક પર એકલો જ આવ્યો હતો અને આ બાઇકને મેં મારા મામાની દુકાન પર ઉભી રાખી. તમને જણાવી દઈએ કે હુમલામાં સામેલ આ વ્યક્તિનું નામ ફૈસલ ભટ્ટ છે. જેને રેલીમાં હાજર એક વ્યક્તિએ પકડી પાડ્યો હતો અને પછી પોલીસના હવાલે કરી દીધો.
وہی پرانا طریقہ کار کسی کو بھی پکڑو اور واقعے کو مذہبی رنگ دے دو اس ملک میں سب سے آسان طریقہ واردات ہے لیکن اب دور بدل چکا ہے عوام ان ہتکھنڈوں میں آنے والی نہیں ہے۔۔۔ pic.twitter.com/wFrVSvn9mD
— Summaiya Rizwan (@SummaiyaRizwann) November 4, 2022