તમારા ખિસ્સામાં પણ નથી ટકી રહ્યા પૈસા ? તો અપનાવો વાસ્તુશાસ્ત્રના આ ચાર ઉપાય, દેવી લક્ષ્મીની જોરદાર વરસશે કૃપા

વસ્તુશાસ્ત્ર પ્રમાણે આ 4 વસ્તુઓ કરવાથી ક્યારેય ઘરમાં નહિ થાય ધનની ખોટ, દેવી લક્ષ્મીની હમેશા રહેશે કૃપા

Do These 4 Vastu Tips To Get Money  : દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે સંપત્તિ કમાવવા દિવસ રાત મહેનત કરતો હોય છે. પરંતુ ઘણીવાર તમારી મહેનત રંગ નથી લાવતી, સારું કમાતા હોવા છતાં પણ પૈસા બચતા નથી, ખિસ્સું ખાલીને ખાલી જ રહે છે.  ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે જેના દ્વારા તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમારું ખિસ્સું પણ ક્યારેય ખાલી નહિ થાય, તો ચાલો જોઈએ ક્યાં ઉપાય છે તે…

ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ રાખો અને દીવો પ્રગટાવો :

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખવું જોઈએ. આ સાથે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે છે. આ સાથે, તમારે સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો કરવો જોઈએ, જેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.

ઘરનું મંદિર દક્ષિણ દિશામાં ન બનાવવું :

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. દક્ષિણ દિશામાં મંદિર હોવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં મંદિર છે તો તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘરનું મંદિર હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ.

તુલસીનો છોડ આ દિશાઓમાં રાખો :

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જો તમારા પર કોઈ દેવું છે તો તે પણ ઘટશે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.

પાણીનો બગાડ ન થવા દો :

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે આ રીતે પાણીને ખુલ્લું ન છોડવું જોઈએ. ખાસ કરીને નળ અને ટાંકીમાંથી ટપકતું પાણી ઘરમાં આર્થિક મુશ્કેલી લાવે છે. પાણીનો ક્યારેય બગાડ ન થવા દો. તેનાથી બિનજરૂરી ખર્ચ વધે છે. આ સિવાય તમારે પાણીનો બગાડ કરીને પૈસા ખર્ચવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

Niraj Patel