‘તારક મહેતા…’ની દયાબેન એટલે કે એક્ટ્રેસ દિશા વાકાણી પહોંચી લાલબાગ ચા રાજાના દરબાર, માસ્કથી છુપાવ્યો ચહેરો

માસ્કથી મોં છુપાવી બાપ્પાના દર્શન કરવા મુંબઇ પહોંચી દયાબેન, શું ‘તારક મહેતા…’માં થશે 7 વર્ષ પછી વાપસી ?

દેશભરમાં ગણપતિનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને બપ્પાના દર્શન માટે જઈ રહ્યા છે. આ વચ્ચે ટીવી એક્ટ્રેસ દિશા વકાણી પણ બપ્પાથી આશીર્વાદ લેવા લાલબાગના રાજાના દરબારમાં પહોંચી.

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ બનેલી દિશાનો વીડિયો સામે આવ્યો છે. દિશા લાઇમલાઇટથી દૂર રહેવું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેમનો આ વીડિયો ફેન્સને ગમી રહ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે દિશા સુંદર ગુલાબી અને લીલા રંગની સાડી પહેરીને નજરે પડી રહી છે. સામે કેમેરા જોતાની સાથે જ તેણે માસ્કથી ચહેરો ઢાંકી દીધો અને આગળ વધી ગઈ.

દિશા સોશિયલ મીડિયા અને લાઇમલાઇટની દુનિયાથી પોતાને દૂર રાખવું પસંદ કરે છે. તેમને કોઈ ઇવેન્ટ અથવા પાર્ટીમાં ઓછા જ જોવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોતાની મનપસંદ દયાબેનને લાલબાગના દરબારમાં જોઈને તેમના ફેન્સ ખુશ છે. વીડિયો પર કોમેન્ટ કરતા કેટલાક યુઝર્સે દિશાને ફરીથી દયાબેનનું યાદગાર પાત્ર ભજવવાની વાત કહી છે.

હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહના પ્રોડ્યુસર આસિત મોદીએ દિશા વકાણીના ઘરે પહોંચીને રક્ષાબંધન સેલિબ્રેટ કર્યો હતો. આસિતે પોતાના પોસ્ટમાં જણાવ્યું હતું કે દિશા માત્ર બધાની દયાબેન જ નથી પરંતુ તે તેમની બહેન પણ છે. દિશા વર્ષોથી તેમને રાખી બાંધતી આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Feels (@bollywoodfeelss)

જણાવી દઇએ કે, દિશા વકાણીએ કેટલાંક વર્ષો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું. પરંતુ વર્ષ 2018માં પોતાના પ્રથમ બાળકના જન્મ દરમિયાન એક્ટ્રેસે ટીવીથી વિરામ લીધો અને અત્યાર સુધી પરત આવી નથી. ઘણી વખત એવા સમાચારો આવ્યા કે દિશા, દયા બનીને પાછી આવી રહી છે. પરંતુ એવું બન્યું નથી. ફેન્સ તેમને સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina
error: Unable To Copy Protected Content!