દાહોદમાં શિક્ષકની નોકરી કરતા આ પતિએ વાસનામાં અંધ બનેલી પત્નીને લીધે કરી આત્મહત્યા, સ્યુસાઈડનોટમાં જે રાઝ ખોલ્યું એ બહુ દર્દનાક છે

ઘણીવાર રાજયમાંથી પતિ અથવા પત્નીના આડાસંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે આવા કિસ્સાઓમાં હત્યા થઇ જતી હોય છે અથવા તો એવું બનતુ હોય છે કે આવા કિસ્સાને કારણે બેમાંથી કોઇ એક કંટાળી આપઘાત કરી લેતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો ગુજરાતના દાહોદના દેવગઢબારિયામાંથી સામે આવ્યો છે. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં લગ્નેતર સંબંધ રાખતી પત્ની અને તેના સબંધીઓ દ્વારા રૂમમાં બંધ કરીને પતિ માર મારવામાં આવતો અને સાથે પત્ની દ્વારા મેણા પણ મારવામાં આવતા કે મરી જા. આ વાતો વધારે સહન ન કરી શકતા શિક્ષક પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો.

પ્રતિકાત્મક તસવીર

તેની પાસેથી અંતિમ નોટ પણ મળી આવી હતી, આ આધારે પત્ની, તેના સંબંધી અને પ્રેમી મળીને સાત લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને પીપલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, 29 વર્ષિય દિલીપભાઇ કે જેઓ દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા, તેઓના લગ્ન ભથવાડા ભૂતિયા ગામની એક યુવતી સાથે થયા હતા. આ યુવતીને લગ્નેતર સંબંધ હોવાથી તે તેના પતિને તું મરી જા કહીને મેણાં મારતી હતી. આ ઉપરાંત પત્નીના સંબંધી જશવંતસિંહ પટેલ, રતનસિંહ પટેલ, રંગીતભાઇ પટેલ, જનકભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ પણ ગાળા ગાળી કરીને કહેતા કે તારે બધું જ સહન કરવું પડશે, અને રૂમમાં બંધ કરીને માર પણ મારતા હતા. આ ઉપરાંત મારી નાખવાની અને ફસાવી દેવાની ધમકી પણ તેઓ આપતા હતા.

પ્રતિકાત્મક તસવીર

તેઓ દિલીપભાઇ પર અવારનવાર ત્રાસ ગુજારતા અને જીવન ટૂંકાવી નાખવા મજબૂર કરતાં. આ બાબતોથી કંટાળી તેમણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જો કે તેમને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે તેમના ભાઇ પર્વત પટેલે પિપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકે જે અંતિમ નોટ લખી હતી તેમાં તેણે લખ્યુ હતુ કે, માફ કરજો મમ્મી-ભાઇ-ભાભી, હું છેલ્લા 4 મહિનાથી થાકી ગયો છું મને બહુ જ માર મારવામાં આવ્યો છે અને ઘણી ગાળો પણ બોલવામાં આવી છે. મને ઘર પણ આવવા દેવામાં આવતો ન હતો. તેમણે આગળ લખ્યુ- મમ્મી, સોરી તને વાત કરવા ફોન કરતો પણ તે લોકો તે પણ કરવા નહીં દેતા. નોકરી પછી છ વર્ષ સુધી લગ્ન એટલા માટે નહોતા કર્યા કે મારી મમ્મીને સુખ મળે, પરંતુ મમ્મી, હું તને તો સુખ આપી શક્યો નહીં. મેં પત્નીને ખૂબ જ સમજાવી, પણ માની શકી નહીં. રતનસિંહ પટેલ, રંગીતસિંહ કાળુ, જનકભાઇ પટેલ, જશવંતસિંહ કાળુ પટેલ દ્વારા મને ખૂબ જ માર મારવામાં આવ્યો છે, રૂમ બંધ કરીને તે લોકો મારે છે.

પ્રતિકાત્મક તસવીર

મૃતકે આગળ લખ્યુ હતુ કે, જો આ વાત કોઇને કહીશ તો મારી નાખીશું, ફસાવી દઇશું, નોકરી જતી રહેશે, તારા ઘરનાને જીવવા નહીં દઇયે. આવી બધુ કહેતા હતા અને ખૂબ જ ધમકીએ આપતા હતા. પત્ની પણ ઘણુ મારતી હતી. મારે કશું પણ કહેવાનું નહીં, હું નોકરી પણ કરીશ, લોકો જોડે ફરીશ પણ ખરી, તારે ખાલી મને પાળી રાખવાની, કોઇને કહેવાનું નહીં, હું કોઇને કહેવાની વાત કહું તો મને બધા જ મારે, ધમકાવે, તારે બધું સહન કરવું જ પડશે એમ કહે. હવે હું થાકી ગયો છું આવા જીવનથી.

પ્રતિકાત્મક તસવીર

મૃતકે અંતિમ નોટમાં એક ફોન નંબર લખ્યો હતો જેમાં ફોન નંબર પાછળ એક વિશાલ નામના છોકરાનું નામ લખ્યુ હતુ અને તે બાદ લખ્યુ હતુ કે, આ છોકરો મને લગ્ન પછી બહુ જ ધમકાવતો, મારવાની વાત કરતો. સરકારી નોકરીમાંથી કઢાવી નાખીશ એવું પણ કહેતો હતો. એમ પણ કહેતો કે મારી પત્ની તેને સપોર્ટ કરતી. મૃતકે ફોન નંબરનો ઉલ્લેખ કરીને લખ્યુ કે, આ નંબરનો ઇતિહાસ કાઢજો. સતત ત્રાસ, અત્યાચાર, મારથી હું જિંદગીમાં વિદાય લેવા જઇ રહ્યો છું. સોરી મમ્મી, હું તારું સપનું પૂરૂં કરી શક્યો નહીં. મેં વીડિયો કોલ કે સાદા કોલથી વાત કરવાની છેલ્લે ટ્રાઇ કરી, પણ કરી શક્યો નહીં. તારુ મોઢું જોઇ શક્યો નહીં, ભૂતિયાવાળા મમ્મીનો પણ આભાર અને સોરી, તમે પણ મારા માટે બહુ કર્યું.

Shah Jina