જો તમે પણ કોરોનાની આ વેક્સિન લીધી હોય તો થઇ જાઓ સાવધાન ! આવી શકે છે હાર્ટ એટેક, કોર્ટમાં કંપનીએ સ્વીકારી પોતાની ખામી

જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કોર્ટમાં કંપનીએ સ્વિકારી ખામી

Covid Vaccine Can Blood Clots : કોરોનાથી બચવા માટે કરોડો લોકોએ વેક્સિન લગાવી. પરંતુ કોરોનો બાદ દેશમાં હાર્ટ એટેકના મામલાઓ પણ સતત સામે આવી રહ્યા હતા, જેના બાદ લોકોનું એમ પણ કહેવું હતું કે કોરોના વેક્સિનના કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે, પરંતુ આ મામલાની કોઈ પુષ્ટિ નહોતી થઇ, પરંતુ હાલ એક એવી ખબર આવી છે જેને વેક્સિન લેનારા લોકોની ચિંતા વધારી દીધી છે. વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી TTS જેવી દુર્લભ આડઅસર પેદા કરી શકે છે.

TTS એટલે કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. તેનાથી પીડિત વ્યક્તિને સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. બ્રિટિશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે. જો કે, રસીના કારણે થતી આડઅસર સ્વીકાર્યા પછી પણ, કંપની તેના કારણે થતા રોગો અથવા ખરાબ અસરોના દાવાનો વિરોધ કરી રહી છે. આ સમાચાર ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કોવિડ -19 ના ફેલાવા દરમિયાન, તે જ ઓક્સફોર્ડ-એસ્ટ્રોઝેનેકા રસીનો અહીં કોવિશિલ્ડના નામથી મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રાઝેનેકા પાસેથી મેળવેલા લાયસન્સ હેઠળ દેશમાં આ રસીનું ઉત્પાદન કર્યું હતું અને તેનો ઉપયોગ માત્ર ભારતના કોવિડ રસીકરણ અભિયાનમાં જ થયો ન હતો, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવી હતી. કોવિશિલ્ડ ઉપરાંત, આ રસી ઘણા દેશોમાં વેક્સજાવેરિયા બ્રાન્ડ નામથી પણ વેચવામાં આવી હતી. એસ્ટ્રાઝેનેકા સામે આ કેસ જેમી સ્કોટ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમને આ રસી લીધા પછી મગજને નુકસાન થયું હતું. ઘણા પરિવારોએ આ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી.

ભારતમાં કોવિડ પછી, આવા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો જેનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આમાંના મોટા ભાગના કોઈને કોઈ શારીરિક સમસ્યા અથવા અન્ય સાથે જોડાયેલા હતા અને સરકાર અને આરોગ્ય જગત ક્યારેય માનતા ન હતા કે કોવિડ રસીની આડ અસરોને કારણે આવું થઈ શકે છે. હવે કંપનીની આ સ્વીકૃતિ બાદ ભારતમાં પણ મુકદ્દમોનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

Niraj Patel