અંબાલાલ પટેલની મકાનના છાપરા ઉડી જાય એવા વરસાદની આગાહી, આંધી વંટોળ સાથે થશે ચોમાસાની શરૂઆત

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસાને લઇને આગાહી સામે આવી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ શરૂ થશે. રાજ્યના વિવિધ ભાગોમાં 7થી10 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

14થી 18 જૂન વચ્ચે આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે અને 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે. 25 મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી પાર જશે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. અંબાલાલે ગરમીના રાઉન્ડ બાદ 26 મેથી ફરી વરસાદી માહોલ બનશે તેમ પણ જણાવ્યુ છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં આંધી વંટોળ વધારે થવાની શક્યતા છે. મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ જોવા મળશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!