રવિવારે મોરબીમાં યોજાયેલા મોતના તાંડવમાં રાજકોટથી માસીના ઘરે રોકાવવા આવેલા દંપતીને પણ કાળ ભરખી ગયો, હજુ તો 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન…

મોટી પોસ્ટ પર કામ કરતુ નવયુગલનું થયું મૃત્યુ, મોરબીમાં માસીના ઘરે જમવા ગયા પણ એમને શું ખબર કે….

ના જાણ્યું જાનકી નાથે શું થવાનું છે… દિવાળીની રજાઓમાં રાજકોટ આવેલું દંપતી મોરબીમાં માસીના ઘરે ફરવા આવ્યું અને કાળ ઝૂલતા પુલ પર ખેંચી ગયો, ઈજાગ્રસ્ત પતિને હોસ્પિટલમાં પત્નીના મોતની જાણ થતા જ તેનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું…

ગત રવિવારના રોજ મોરબીની અંદર એક ખુબ જ મોટી દુર્ઘટના સર્જાઈ. મોરબીની શાન ગણવામાં આવતા ઝૂલતા પુલ પર જયારે 400 જેટલા લોકો ફરી રહ્યા હતા ત્યારે જ પુલ ધડામ દઈને નીચે પડ્યો અને તેમાં બાળકો સહીત કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના પડઘા ગુજરાત અને દેશમાં જ નહિ દુનિયામાં પણ પડ્યા છે. ત્યારે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની કહાનીઓ પણ લોકોની આંખોમાં આંસુઓ લાવી રહી છે.

આ દુર્ઘટનાની અંદર રાજકોટનું એક કપલ પણ મોતને ભેટ્યું. રાજકોટના હર્ષ ઝાલાવાડિયા અને તેમની પત્ની મીરા પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા થા. હજુ તો પાંચ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને તેમને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી, ત્યારે જ કાળ તેમને મોરબીમાં ઝૂલતા પુલ પર ખેંચી લાવ્યો અને ખુશીઓની શરૂઆત કરી રહેલા આ દંપતી કાળનો કોળિયો બની ગયું.

હર્ષ અને મીરા બને આઇટી ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને બેંગ્લોરમાં રહીને નોકરી કરે છે, પરંતુ દિવાળીનો સમય હોવાના કારણે તે રાજકોટ આવ્યા હતા અને લગ્ન બાદ માસીના ઘરે પરિવાર સાથે શનિવારના રોજ મોરબી જમવા માટે ગયા હતા. ત્યાંથી રવિવારે સવારે તે રાજકોટ જવા રવાના થવાના હતા. પરંતુ માસીના દીકરાના આગ્રહના કારણે તે મોરબીમાં જ રોકાઈ ગયા અને સાંજના સમયે તેના માસીના દીકરા, તેની પત્ની અને દીકરા સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા.

આ દરમિયાન બધા જ લોકો ખુશીઓ મનાવી રહ્યા હતા. બધાએ સાથે સેલ્ફી પણ લીધી અને ત્યાં જ આચાનક પુલ તૂટીને ધરાશાયી થઇ ગયો. ગણતરીના સમયમાં જ બધા જ લોકો છુટા પડી ગયા. હર્ષને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને આખી ઘટના વિશે પૂછ્યું અને તેને જાણવા મળ્યું કે, તેના માસીના દીકરા અને તેની પત્નીનું મોત થયું છે. પરંતુ 7 વર્ષના તેમના દીકરાનો આબાદ બચાવ થયો હતો.

જયારે હર્ષે તેની પત્ની મીરા વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે મીરાનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ જાણીને હર્ષને ઊંડો આઘાત લાગ્યો અને તે બેભાન થઇ ગયો, જેના બાદ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આખા પરિવારમાં માતમ ફરી વળ્યો છે. પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ પણ ગમગીન બની ગયો છે.

Niraj Patel