મુખ્યમંત્રીએ દીકરાના લગ્નની કરી સ્પષ્ટતા, દીકરાના લગ્ન અંગેની અફવા વાયરલ થતા જ CMએ કર્યો આ ખુલાસો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાને કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ ખૂબ જ વાયરલ થતા અને સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

Image source

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. કોરોનાનુ સંક્રમણ બેકાબૂ બનતા હાઇકોર્ટની ટકોર બાદ લોકોને હતું કે લોકડાઉન લાગશે, પણ રુપાણી સરકારે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની મજાક થઇ રહી હતી કે કોઇ લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ન્યૂઝ ફેક છે.

Image source

CM રૂપાણીએ સોશિયલ મીડિયામાં ચાલતા તેમના પુત્ર અંગેના સમાચારને ફેક ગણાવ્યા છે. ખુદ મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં પોતાના પુત્રના લગ્ન અંગે ચાલતી ચર્ચાને અફવા ગણાવી છે અને તમામ માહિતી પાયાવિહોણી હોવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારનું કોઈ આયોજન ન તો પહેલાથી નિર્ધાર હતું. ના મે મહિનામાં લગ્નનું કોઈ આયોજન છે. સાથે સ્પષ્ટતા પણ કરી કે, અત્યારે અમારુ ધ્યાન માત્ર કોરોનાની સ્થિતિ પર છે.

Shah Jina