ઔરંગાબાદ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક લગ્ન સમારંભ દરમિયાન મકાનની છત તૂટી પડી હતી. તેના ચપેટમાં બે ડઝન લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ ઘરની બાલ્કનીમાં ઉભી હતી જે તેની ચપેટમાં આવી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના હારીબારી ગામની છે. વરઘોડો ગામમાં જયપ્રકાશ રામના ઘરે આવ્યો હતો. લગ્નમાં વરમાળા કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ સામેના ઘરની બાલ્કની પર ઉભી હતી. આ દરમિયાન ભારે દબાણને કારણે ઘરની છત અચાનક તૂટી પડી હતી. છત પડતાની સાથે જ હલચલ મચી ગઈ હતી. લોકોએ ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં ખસેડી હતી.
છતની ચપેટમાં આવવાથી ઉભેલી મહિલાઓ નીચે પડી અને ઘાયલ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બાલ્કનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉભી હતી જેમને ઈજા થઈ હતી.આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. છત પડી જવાની આ ઘટનામાં બે ડઝન લોકો ઘાયલ થયા છે જેમની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
https://t.co/OzckR6kcYV#Watch: Bihar People standing to see the groom during Jaymala in Aurangabad, the balcony collapsed, 24 injured, 8 in critical condition#Bihar #Aurangabad #Jaymala #balcony #collapsed #groom #video #breakingnews #viralvideo #news #trending pic.twitter.com/sVDwrXSRLE
— ViralVdoz (@viralvdoz) June 14, 2022
કહેવાય છે કે આ ઘટનામાં ઘાયલ થયેલી ઘણી મહિલાઓ દુલ્હનના પરિવારની જણાવવામાં આવી રહી છે. જે ખૂબ જ ઈચ્છા સાથે વરમાળાને જોવા આવી હતી પરંતુ થોડી બેદરકારીના કારણે તે અકસ્માતનો શિકાર બની હતી. ના તો વરમાળા જોઈ શકી કે ના તો આખા લગ્ન. આ બાબતે કેટલાક લોકોનું કહેવું છે કે છતની ક્ષમતા કરતા વધુ વજન તેના પર આવી ગયું હતું જેના કારણે આ ઘટના બની હતી તેમજ ત્યાંનું ઘર પણ ઘણું જૂનું હતું.