અમદાવાદના આયેશા કેસમાં આરીફને આટલા વર્ષની સજા ફટકારી, જાણીને નવાઈ પામશો

પતિના ત્રાસથી હસતા હસતા નદીમાં મોતને વ્હાલ કરનાર આયશા કેસમાં આખરે કોર્ટે તેના પતિને દોષિત ઠેરવી સજા ફટકારી છે. અમદાવાદના ચકચારી આયશા કેસમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આરીફને 10 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. આયશાએ આપઘાત પહેલા જે વીડિયો રેકોર્ડ કર્યો હતો કોર્ટે તેને મહત્વનો પુરાવો ગણ્યો હતો. જણાવી દઇએ કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયશા નામની યુવતિએ પતિના ત્રાસને કારણે આપઘાત કર્યો હતો.

જો કે, મરતા પહેલા તેણે એક વીડિયો રકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો હતો. આ વીડિયોને આધારે કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનામાં નોંધ્યુ કે, ઘરેલુ હિંસા ઘટાડવા માટે આરોપીને બક્ષી ન શકાય. કોર્ટે આ કેસમાં એ પણ નોંધ લીધી હતી કે તેનો ગર્ભપાત થયો હતો. આ ઉપરાંત તેની આત્મહત્યાને દુખદ પણ ગણાવી હતી. આયશાએ વીડિયો રેકોર્ડ કર્યા બાદ હસતા મોઢે આયશાએ મોતને વહાલુ કરી લીધુ હતુ.

ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે આયશાના પિતાએ પોલિસ સ્ટેશનમાં દીકરીના પતિ આરીફ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલિસે તપાસ શરૂ કરી આરીફને ઝડપી પાડ્યો હતો. આયશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ સાથે થયા હતા. લગ્ન બાદ તેને પતિ અને સાસરિયા દ્વારા દહેજને લઇને ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો. ડિસેમ્બર 2018માં આરોપી આરીફ ઝઘડો કરી આયશાને પિયર મૂકી ગયો હતો અને બાદમાં સમાજના લોકોએ ભેગા મળી સમાધાન કરાવ્યુ હતુ અને આયશાને સાસરે પરત વળાવી હતી.

જો કે, વર્ષ 2019માં આયશાને ફરી પિયર મૂકી જતા તે તેના માતા-પિતા સાથે રહેતી હતી. આયશાના આપઘાત કર્યા બાદ 2 માર્ચ 2021ના રોજ આરીફને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જો કે, તેની પૂછપરછ વખતે આયશાના મોતનુ જરા પણ દુખ તેના પર મોઢા પર જોવા મળ્યુ ન હતુ. ઉલ્લેખનીય છે કે, આયશાના પતિ આરોપી આરીફ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જો કે કોર્ટે આ સમગ્ર મુદ્દે સુનાવણી કરતા આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પુર્ણ કરી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

આયશાએ જે વીડિયો બનાવ્યો હતો તેમાં તેણે જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકી ઝીંદગી ઇતની હોતી હે.ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે.

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહે ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબ્બત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,

ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા. આ વીડિયો રેકોર્ડ કરી તેણે સાબરમતીની નદીમાં કૂદકો માર્યો હતો.આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી, હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશાની માતાએ તેને કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી પણ હતી. ત્યાર બાદમાં માતા પિતા તેને શોધવા નિકળ્યા તો આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.

Shah Jina