ગુજરાત પર આવશે મોટું સંકટ, ગુજરાતીઓ સાવધાન થઇ જાઓ…અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ ગરમીની માહોલ ફરી શરૂ થઇ ગયો છે અને આ ગરમી વચ્ચે હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. ત્યારે મેઘરાજા વિદાય એ પહેલા જ મેઘરાજા એક મોટી આપદાના ભરડામાં રાજયને લે તેવું લાગી રહ્યુ છે. ગુજરાત પર મોટુ સંકટ આવી રહ્યું હોવાના સંકેત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. વાવાઝોડાના ત્રિપલ એટેકનું સપ્ટેમ્બર માસમાં અનુમાન છે. અંબાલાલ પટેલ અનુસાર, બંગાળની ખાડી પર સિસ્ટમ બની શકે છે અને તેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર થઈ શકે છે.

આ અંતર્ગત ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર રહેશે ત્યાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.જો કે, જે સંકટ તોળાઇ રહ્યુ છે, તે આ વરસાદનું નહીં પરંતુ વાવાઝોડાનું છે. જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે.આગાહી અનુસાર 6થી8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે.27 થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે.અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.

જેની સીધી અસર ગુજરાતાના કેટલાક ભાગોમાં થશે. જો કે, અંબાલાલ પટેલ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે, આ વાવાઝોડું ગમે ત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ આ પહેલા જ એક મોટી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુર સહિત રાજકોટ, ભાવનગર, આણંદ, અમરેલી, બોટાદ, ખેડા, અરવલ્લી, મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચક્રવાતની આ આગાહીને પગલે ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો સાવધાન થઈ ગયા છે. બીજી તરફ જોઇએ તો, ગીર સોમનાથના દરિયાકાંઠે પણ માછીમારો સહિત કાંઠે રહેતા લોકો સાવધાન થઈ ગયા છે.અંબાલાલ પટેલ અનુસાર, 23 સપ્ટેમ્બરથી ઓકટોબર સુધી ભયંકર ગરમી પણ પડશે અને તેને કારણે લોકલ સિસ્ટમ પણ ઊભી થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં મોસમનો ટ્રીપલ એટેક જોવા મળી શકે છે.

26 સપ્ટેમ્બરથી નવરાત્રિ ચાલુ થઇ રહી છે અને ત્યારે જ વાતાવરણમાં પલટો આવશે. જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલ અનુસાર, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે અને 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે.

જો કે, તેમણે કહ્યુ છે કે, ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડશે કે કેમ ? તેને લઈને ખેલૈયાઓ અને ગરબા રસિકોને સવાલો થઈ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા 25થી28 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી તેમજ નર્મદા, તાપી, છોટા ઉદેપુરમાં હળવો વરસાદ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલના રોજ એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Shah Jina