ઘણા લોકોને આજે જુગાર અને સટ્ટો રમવાની ખરાબ આદત પણ લાગી જાય છે, અને તેના કારણે જ તે ઘણીવાર નુકશાન જતા લાખો રૂપિયાના દેવામાં પણ ફસાઈ જાય છે અને ત્યારે આ દેવામાંથી બહાર નીકળવા માટે પણ તેમની પાસે કોઈ રસ્તો બાકી નથી રહેતો અને આપઘાત જેવા પાગલ ભરતા હોય છે.
પરંતુ આ દરમિયાન એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક દેવામાં ડૂબેલા પતિએ તેની પત્ની સાથે બે માસુમ બાળકોની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી અને પછી પોતે પણ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો. આ સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ચકચારી મચી ગઈ હતી.
આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના નાગપુરમાંથી. જ્યાં ક્રિકેટ સટ્ટો એક યુવક અને તેના પરિવાર માટે જીવલેણ બની ગયો હતો. અહીં એક બુકી દેવામાં એટલો બધો ડૂબી ગયો કે તેણે પહેલા તેની પત્ની અને બે બાળકોની છરી વડે હત્યા કરી અને પછી ફાંસી લગાવી દીધી. આ ઘટના ગત મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે જરીપાટકના દયાનંદ પાર્ક વિસ્તારમાં બની હતી.
મંગળવારે સાંજે મદનનો મિત્ર તેને મળવા આવ્યો હતો. દરવાજો ખટખટાવ્યા પછી કોઈએ જવાબ આપ્યો નહીં. જેના બાદ તેણે પહેલા પાડોશીઓને અને પછી પોલીસને જાણ કરી. તપાસમાં એ વાત સામે આવી છે કે થોડા દિવસ પહેલા મદનને સટ્ટામાં 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારથી તે માનસિક દબાણમાં હતો. જો તે પૈસા નહીં ચૂકવે તો તેનું અને તેના પરિવારનું શું થશે તેની તેને ચિંતા હતી. થોડા દિવસો પહેલા એવું પણ બહાર આવ્યું હતું કે મદને તેના ભાઈ પાસેથી પણ કેટલાક પૈસા લીધા છે.
40 વર્ષીય મદન અગ્રવાલ નામના વ્યક્તિએ પહેલા તેની 33 વર્ષીય પત્ની કિરણ અગ્રવાલ, 10 વર્ષીય પુત્ર વૃષભા અને 5 વર્ષીય પુત્રી ટિયાની હત્યા કરી અને પછી ફાંસી લગાવી દીધી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મદને પરિવારની વિરુદ્ધમાં લવ મેરેજ કર્યા હતા, જેના કારણે તેનો પરિવાર સાથે વધુ સંપર્ક નહોતો. મદનને ક્રિકેટ સટ્ટાની લત લાગી હતી. જુગારમાં પૈસા હારી જતાં તે ત્રણ દિવસથી તણાવમાં હતો. મદને સોમવારે નજીકની દુકાનમાંથી છરી ખરીદી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા નાગપુરના કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે મદન અગ્રવાલ શાંતિનગરમાં રહેતો હતો. તેની દયાનંદ પાર્ક વિસ્તારમાં ખાંડની દુકાન હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પહેલા દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તે ન ખુલ્યો તોડીને જેવી ટીમ અંદર પ્રવેશી તો પત્ની અને તેના બે બાળકો બેડ પર લોહીના ખાબોચિયામાં લથબથ પડેલા હતા અને મદનની લાશ પંખા સાથે લટકતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પુત્ર અને પુત્રીના પેટમાં અનેક વાર ઘા કર્યા હતા. ત્યારબાદ તેણે તેની પત્નીનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. ત્રણેયના મોતની પુષ્ટિ થયા બાદ જ આરોપીએ ફાંસી લગાવી દીધી હતી.