આલૂ પરોઠાને લઇને માતા સાથે ઝઘડો, આગળના જ દિવસે ફેમસ અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, જુઓ તસવીરો
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના નિધન બાદ મનોરંજન ઉદ્યોગમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઉડિયા અભિનેત્રી-ગાયિકા રુચિસ્મિતા ગુરુએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર પછી રૂચિસ્મિતાના ચાહકો અને સંબંધીઓની હાલત ખરાબ છે. રૂચિસ્મિતા ગુરુએ ઘણા આલ્બમ્સમાં એક્ટિંગ અને સિંગિંગ કર્યું છે. તેણે ઘણા શાનદાર સ્ટેજ શો પણ કર્યા છે. તે અભિનયની દુનિયામાં પણ ખૂબ સક્રિય હતી.
અભિનેત્રીના આકસ્મિક મૃત્યુથી આખો પરિવાર અસ્વસ્થ છે. રુચિસ્મિતાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું હતું, જે બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. રૂચિસ્મિતાએ 26 માર્ચ 2023ના રોજ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. તેની લાશ રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
રુચિસ્મિતા ગુરુ સોનેપુરા જિલ્લાના બાલાંગિર નગર તાલપાલીમાં તેના મામાના ઘરે રહેતી હતી. તેનો આખો પરિવાર પણ તેની સાથે તેના મામાના ઘરે રહેતો હતો. રુચિસ્મિતાની માતાનું કહેવું છે કે રાત્રે આલૂ પરાઠો બનાવવાને લઈને પુત્રી સાથે ઝઘડો થયો હતો. રુચિસ્મિતાની માતાએ કહ્યુ કે, ‘મેં તેને રાત્રે આઠ વાગે આલૂ પરાઠા બનાવવાનું કહ્યું હતું, પરંતુ તેણે કહ્યું કે તે રાત્રે 10 વાગે બનાવશે. આ બાબતે નાની લડાઈ થઈ હતી.
રુચિસ્મિતાના સંબંધીઓનું કહેવું છે કે તેણે અગાઉ પણ ઘણી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અભિનેત્રીએ શા માટે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મામલો સ્પષ્ટ થઇ જશે.
Odia album actress Ruchismita Guru found dead inside a house at Sudapada in Balangir; suicide suspected #Suicide #RuchismitaGuru #Actress #Balangir #Odisha pic.twitter.com/ETosIBg4Hf
— Odisha Bhaskar (@odishabhaskar) March 27, 2023