સોનાક્ષીથી નારાજ હતો ભાઇ લવ? લગ્નના 12 દિવસ બાદ શત્રુઘ્નની પુત્રીએ કહ્યું, ‘તે દિવસે હું અને ઝહીર…’

સોનાક્ષી સિંહાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે બાંદ્રા સ્થિત તેમના ઘરે સાદગીથી લગ્ન કર્યા હતા. બાદમાં સોનાક્ષી અને ઝહીરે એક ભવ્ય રિસેપ્શન પણ યોજ્યું હતું. અભિનેત્રી તેના લગ્ન બાદથી જ ચર્ચામાં છે. હવે સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં, કહ્યું છે કે, તેણીને એવું લાગે છે કે દરેક વ્યક્તિ તેના લગ્નના ખાસ દિવસમાં ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

લગ્ન બાદ સોનાક્ષીના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી પણ તેના હનીમૂનથી પાછી ફરી છે. આ લગ્ન તેમના ભાઈ લવ સિંહા મતભેદોને કારણે આવ્યો ના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ પછી તેમના ઘણા નિવેદનો પણ સામે આવ્યા હતા.

પોતાના ભાઈના લગ્નમાં ન આવવા અને ઝહીરને પોતાનો જીવનસાથી બનાવ્યા બાદ એક્ટ્રસ સતત ટ્રોલ થઇ રહી છે. ઘણા લોકો તેમના લગ્નને લવ જેહાદ સાથે પણ જોડતા હતા. પરંતુ તેના પિતા શત્રુઘ્ને તેની પુત્રીના નિર્ણયનું સમર્થન કર્યું અને ટ્રોલ કરનારાઓને પણ જડબાતોડ જવાબ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

ત્યારબાદ તેના ભાઈનું નિવેદન સામે આવ્યા બાદ પણ અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. લવના નિવેદન પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે બહેન સોનાક્ષી સિંહાના લગ્નથી નારાજ છે. લવ સિન્હાની પોસ્ટને કારણે પણ લોકોએ આવી જ અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. જો તેઓ ખરેખર ગુસ્સે છે, પણ કેમ ?

તાજેતરમાં જ સોનાક્ષીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તે ખાસ દિવસે બધાએ ઝહીર અને મારા લગ્નની ઉજવણીમાં ભાગ લીધો હતો. ખરેખર, હું અને ઝહીર સિંગાપોર ગયા હતા અને કોફી શોપમાં લોકો અમને પેસ્ટ્રીઝ સાથે શુભેચ્છા પાઠવી રહ્યા હતા. જેણે અમારી પાસે આવીને અમારી સાથે વાત કરી તે કહ્યું, અમે તમારા લગ્નના વીડિયો જોયા છે. એવું લાગ્યું કે દરેક વ્યક્તિ આપણા મોટા દિવસનો એક ભાગ બન્યા છે. તે ખરેખર સુંદર હતું.

 

View this post on Instagram

 

A post shared by Luv Sinha (@luvsinha)

સોનાક્ષી હાલમાં જ હનીમૂન પરથી પરત ફરી છે. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે મારો એક ખાસ મિત્ર લગ્નમાં આવી શક્યો નથી કારણ કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો. તેથી અમે તેને સરપ્રાઈઝ આપવા માટે સિંગાપુર હનીમૂન પર જવાનું નક્કી કર્યું.

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હાએ સાત વર્ષના સંબંધ બાદ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. સાત વર્ષની રાહ જોયા બાદ બંનેએ પોતાના પ્રેમને લગ્નનું નામ આપ્યું છે. બંને સિવિલ મેરેજના છે. સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, કાજોલ, તબ્બુ જેવી ઘણી બોલિવૂડ સેલિબ્રિટી તેના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.

Previous Article

AI in Business Management: Improving Efficiency and Decision Making

Next Article

પત્ની નતાશાએ જણાવ્યું કે, કઇ રીતે પતિ હાર્દિક પંડ્યા વિના જીવી રહી છે...જુઓ

error: Protected Content!