જાણો કાગડાને જ કેમ માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ!

પિત્રુ પક્ષ શરૂ થયો ગયો છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પિત્રુ પક્ષમાં કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાઓને ભોજન કરાવ્યા વિના શ્રાદ્ધ પૂર્ણ થતું નથી. તેમને પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તર્પણ ચઢાવતી વખતે ઘર પર કાગડો બેસે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે.

જો કાગડો તર્પણ ખાય છે, તો તે વધુ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય અને પરિવારને આશીર્વાદ આપે છે. પૂર્વજોના આશીર્વાદથી પરિવાર ખીલે છે. પરંતુ આવી સ્થિતિમાં એક પ્રશ્ન ચોક્કસપણે મનમાં આવે છે કે કાગડાને પૂર્વજોનું સ્વરૂપ કેમ માનવામાં આવે છે? આવો જાણીએ તેમની પાછળનું કારણ.

ભગવાન શ્રી રામે આપ્યું હતું વરદાન : કાગડાને લગતી આ કથા ત્રેતાયુગની છે. એવું માનવામાં આવે છે કે એક વખત ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું અને સીતાના પગને ઇજા પહોંચાડી. આ જોઈને ભગવાન શ્રી રામે ઘાસના તણખાનું બ્રહ્માસ્ત્ર બનાવીને કાગડા પર પ્રહાર કર્યો જેમા તેની એક આંખ ફૂટી ગઈ હતી. આ પછી જયંતને પોતાની ભૂલ સમજાઈ અને શ્રી રામની માફી માંગવાનું શરૂ કર્યું.

આ પછી શ્રી રામે તેમને માફ કરી દીધો અને કહ્યું કે આજ પછી તમને આપવામાં આવેલો ખોરાક પૂર્વજોને પ્રપ્ત થશે. ત્યારથી કાગડાને પૂર્વજોનું સ્વરૂપ કહેવામાં આવે છે. કેમ કે પિતૃ પક્ષ પહેલેથી જ પૂર્વજોને સમર્પિત હોય છે, આવી સ્થિતિમાં, જો કોઈ કાગડો દેખાય અથવા તે તમારા દ્વારા ધરવામાં આવેલ ઘાસને ઉપાડે તો તેને પૂર્વજોના આશીર્વાદ માનવામાં આવે છે.

આવી પણ માન્યતા છે : શાસ્ત્રોમાં કાગડાને યમરાજનું પ્રતીક માનવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવ છે. એવું માનવામાં આવે છે કે જો કાગડો તમારા દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે, તો યમરાજ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાની સાથે શાંતિ મળે છે. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું કે તમને આપવામાં આવતો ખોરાક પૂર્વજોને શાંતિ આપશે. ત્યારથી કાગડાને ખોરાક આપવાની પ્રથા ચાલી રહી છે.

જો કાગડો ન મળે તો શું કરવું : પર્યાવરણની અસર હવે પ્રાણીઓ અને પક્ષીઓ પર પણ દેખાઈ રહી છે. તમામ પ્રાણીઓ અને પક્ષીઓ હવે લુપ્ત થઈ રહ્યા છે. કાગડો પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો શ્રાદ્ધ પક્ષમાં કાગડો ન દેખાય તો શું કરવું? આ અંગે જાણકારો કહે છે કે, આમ તો ઉત્તમ તો એ જ છે કે કાગડાને જ તર્પણ મળે, પરંતુ જો કાગડો ન આવે તો તર્પણ કોઈપણ પક્ષીને આપી શકાય છે.

વૈજ્ઞાનિક મહત્વ પણ સમજીઓ : જ્યોતિષાચાર્ય કહે છે કે પૂર્વજોમાં કાગડાનું મહત્વ વધવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં તેનો અર્થ લોકોને એ સમજાવવાનો છે કે પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે દરેક પ્રાણી અને પક્ષીનું પોતાનું મહત્વ છે. કાગડાને ચાલાક પક્ષી માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે સફાઈ કામદારની જેમ કામ કરે છે. નાના જંતુઓ ઉપરાંત, તે પ્રદૂષણના પરિબળોને પણ ખાય છે. આ પર્યાવરણને શુદ્ધ કરે છે. તેથી તેમનું રક્ષણ ખૂબ મહત્વનું છે. પરંતુ વૃક્ષો કાપવાના કારણે કાગડાઓની સંખ્યા પણ ઘટવા લાગી છે. જેથી વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે.

YC